નવી શિક્ષણ નીતિની વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યું – દેશની પ્રગતિ યુવાનોના શિક્ષણ પર આધારીત છે
PM Modiએ કહ્યું કે, ભવિષ્યમાં આપણે કેટલું આગળ વધશું, કેટલી ઊંચાઈ હાંસલ કરીશું, તે તેના પર નિર્ભર રહેશે કે આપણે હાલમાં આપણા યુવાનોને કેવું શિક્ષણ આપી રહ્યા છીએ એટલે કે આજે આપણે કઈ દિશા સૂચવી રહ્યા છીએ.
PM on NEP: નવી શિક્ષણ નીતિની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થવા પર તમામ દેશવાસીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ઘણા અભિનંદન. છેલ્લા એક વર્ષમાં તમામ મહાનુભાવો, શિક્ષકો, નીતિ ઘડવૈયાઓએ ખૂબ જ મહેનત કરી છે. પીએમએ કહ્યું કે, ભવિષ્યમાં આપણે કેટલું આગળ વધશું, કેટલી ઊંચાઈ હાંસલ કરીશું, તે તેના પર નિર્ભર રહેશે કે આપણે હાલમાં આપણા યુવાનોને કેવું શિક્ષણ આપી રહ્યા છીએ એટલે કે આજે આપણે કઈ દિશા સૂચવી રહ્યા છીએ. હું માનું છું કે રાષ્ટ્ર નિર્માણના મહાન બલિદાનમાં ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એક મોટા પરિબળપૈકીનું એક છે.
તેમણે વધુમાં કહ્યું કે 21 મી સદીના આજના યુવાનો પોતાની સિસ્ટમો બનાવવા માંગે છે, પોતાની સમજૂતી અનુસાર પોતાની દુનિયા બનાવા માંગે છે, તેથી, તેમને exposureની જરૂર છે,જણા બંધન, કેદમાંથી મુક્ત કરવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આ યુવા પેઢીને તેમના સપના અનુસાર વાતાવરણ મળશે ત્યારે તેમની શક્તિ વધશે, તેથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ખાતરી આપે છે કે દેશ હવે તેમની સાથે છે. આજથી શરૂ થયેલી મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને સમાન વર્ગ અને એક જ અભ્યાસક્રમમાં જકડી રાખવાની મજબૂરીથી મુક્તિ આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે સર્જાયેલી સંભાવનાઓને સાકાર કરવા માટે આપણા યુવાનોએ વિશ્વથી એક પગલું આગળ વધવું પડશે. આરોગ્ય, સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી દેશને દરેક દિશામાં સક્ષમ અને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર ભારત માટેનો આ માર્ગ કૌશલ્ય વિકાસ અને તકનીકીમાંથી પસાર થાય છે. પ્રથમ વખત ભારતીય સાંકેતિક ભાષાને વિષયનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ તેને ભાષા તરીકે પણ વાંચી શકશે. આ ભારતીય સાંકેતિક ભાષાને પ્રોત્સાહન આપશે સાથે આપણા દિવ્યાંગ સાથીઓને ઘણી મદદ કરશે.
વડા પ્રધાને કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જુદી જુદી સુવિધાઓ વાસ્તવિકતામાં ફેરવાશે તેમ આપણો દેશ એક નવા યુગનો સાક્ષી બનશે.