Odisha Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટના પર મોટો ખુલાસો, ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ

રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના પુરાવા પણ મળી ગયા છે. અકસ્માત બાદ સૌથી વધુ ચર્ચા આ ઈન્ટરલોકીંગ સિસ્ટમની થઈ છે.

Odisha Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટના પર મોટો ખુલાસો, ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ
Odisha Train Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 10:00 AM

Odisha Train Accident: ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. રેલવેની (Indian Railway) પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના પુરાવા પણ મળી ગયા છે. અકસ્માત બાદ સૌથી વધુ ચર્ચા આ ઈન્ટરલોકીંગ સિસ્ટમની થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પ્રાથમિક તપાસના આધારે આ સિસ્ટમમાં ગરબડ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

રેલવેને લાગે છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે

સીઆરબી રેલવેએ વડાપ્રધાન કાર્યાલયને અકસ્માત અંગે જાણ કરી છે. અકસ્માત અંગે રેલવેએ કહ્યું કે તેણે આશંકા વ્યક્ત કરી છે કે જે પણ ઘટના બની છે તે પોઈન્ટમાં ફેરફારને કારણે થઈ છે. પીએમઓને જણાવવામાં આવ્યું છે કે રેલવેને લાગે છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે અથવા કોઈ એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે જેને આ મુદ્દાની સંપૂર્ણ જાણકારી હતી.

આ પણ વાંચો : Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIએ શરૂ કરી તપાસ, અધિકારીઓની ટીમે સ્થળની લીધી મુલાકાત

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અંગે અધિકારીઓએ સોમવારે કહ્યું કે 101 મૃતદેહોની હજુ પણ કોઈ ઓળખ થઈ રહી નથી. પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝનલ રેલ્વે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જેઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.

રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. આપને જણાવી દઈએ કે, 3 જૂનના રોજ, બાલાસોરમાં સરકારી રેલવે પોલીસ (GRP)એ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">