Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha : ઓડિશામાં કોરોનાના કેસમાં ઘટાડો, હવે 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ખુલશે શ્રી જગન્નાથ મંદિર

શુક્રવારે ઓડિશામાં કોરોના વાયરસના ચેપના 5,057 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 844 ઓછા છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું કે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12,36,226 થઈ ગઈ છે.

Odisha : ઓડિશામાં કોરોનાના કેસમાં ઘટાડો, હવે 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ખુલશે શ્રી જગન્નાથ મંદિર
Jagannath Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:44 PM

ઓડિશા સરકારે (Odisha Government) શુક્રવારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું શ્રી જગન્નાથ મંદિર (Jagannath Temple Reopen) 1 ફેબ્રુઆરી (1st February) થી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. પુરીના જિલ્લા કલેક્ટર સમર્થ વર્માએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) અને છતિસા નિજોગ (મંદિર સેવા સંસ્થા)ના સભ્યોની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બારમી સદીનું મંદિર રવિવારે સ્વચ્છતા માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા મોટાભાગે મંદિર પર નિર્ભર છે. આ સિવાય લોકોની લાગણી અને કોવિડ-19ના મામલામાં નજીવા ઘટાડાને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી મંદિરને લોકો માટે ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સ્થાનિક પરિસ્થિતિને જોતા તહેવારો પર મંદિર બંધ રહેશે. કલેક્ટરે કહ્યું કે ભક્તોને પૂર્વ દરવાજા (સિંહ દ્વાર) દ્વારા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે પુરીના સ્થાનિક લોકો પશ્ચિમી દરવાજાથી મંદિરની અંદર જશે. રાજ્યમાં કોવિડ-19 કેસના પુનરુત્થાન અને કેટલાક સેવકો અને મંદિરના કર્મચારીઓને વાયરસનો ચેપ લાગવાને કારણે SJTA એ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખ્યું હતું. મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં દેવી-દેવતાઓની નિયમિત વિધિમાં કોઈ અડચણ ન હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, લોકો મંદિરની મુલાકાત લઈ શકે તે માટે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં દર્શનનો સમય અને રોગચાળા દરમિયાન મંદિરમાં પ્રવેશવા માટે જરૂરી સાવચેતીઓનો ઉલ્લેખ કરવામાં આવશે. અગાઉ, એક સ્થાનિક સંગઠન શ્રી જગન્નાથ સેનાએ મંદિરને ફરીથી ખોલવાની માગ સાથે મંદિરની સામે પ્રદર્શન કર્યું હતું.

મની પ્લાન્ટના પાનનું પીળા પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?
જગન્નાથ મંદિરની ધજા લઈને ઉડી ગયું ગરુડ! શું કોઈ મોટી આફતના સંકેત છે?
Cucumber: કાકડી કઈ રીતે ખાવા વધુ ફાયદાકારક છે - છાલ સાથે કે છાલ વગર?
આજનું રાશિફળ તારીખ : 15-04-2025
Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો

શુક્રવારે ઓડિશામાં કોરોનાના 5,057 નવા કેસ સામે આવ્યા

બીજી તરફ, શુક્રવારે ઓડિશામાં કોરોના વાયરસના ચેપના 5,057 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 844 ઓછા છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું કે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12,36,226 થઈ ગઈ છે. આ સિવાય 10 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 8,560 પર પહોંચી ગઈ છે. ગુરુવારે, રાજ્યમાં ચેપના 5,901 કેસ નોંધાયા હતા અને આઠ દર્દીઓના મોત થયા હતા. ઓડિશામાં સક્રિય દર્દીઓની સંખ્યા 64,217 છે. 11,63,396 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો: Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ

આ પણ વાંચો: Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
g clip-path="url(#clip0_868_265)">