AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

ભારત બાયોટેકને ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના અજમાયશ માટે પરવાનગી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે Omicron સહિત કોરોના વાયરસના ઘણા ઘાતક પ્રકારો પર અસરકારક છે.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ
Bharat Biotech gets nod for Intranasal booster dose (Representational Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 3:27 PM
Share

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(Drugs Controller General of India) એટલે કે DCGI એ ભારત બાયોટેકને(Bharat Biotech) ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના(Intranasal Booster Dose) ટ્રાયલ માટે પરવાનગી આપી છે. અમદાવાદ સહિત 9 અલગ-અલગ જગ્યાએ આ ટ્રાયલ કરવામાં આવશે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કંપનીની ઇન્ટ્રાનેઝલ COVID-19 રસીના ‘ફેઝ III બૂસ્ટર ડોઝ સ્ટડી’ માટે ‘ઈન-પ્રિન્સિપલ’ મંજૂરી આપી છે. ભારત બાયોટેકને ત્રણ અઠવાડિયા પહેલા મંજૂરી માટે પ્રોટોકોલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇન્ટ્રાનેઝલ કોવિડ-19 બૂસ્ટર ભારતમાં કોરોના વાયરસ સામે નાક વળે આપી શકાય એવી પહેલી રસી છે. તે જ સમયે, ભારત બાયોટેક એવી બીજી કંપની છે જેણે ત્રીજા ડોઝના ટ્રાયલના ત્રીજા તબક્કા માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે ઇન્ટ્રાનેઝલ રસી ઓમિક્રોન સહિત કોરોના વાયરસના વિવિધ પ્રકારોના ફેલાવાને રોકવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે DCGI એ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોવિડ-19 રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.

દુકાનોમાં નહીં મળે રસી  આ અંગે આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બજારમાં કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સિન(Covaxin) વેચવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં તે દુકાનોમાં ઉપલબ્ધ થશે નહીં. તે ફક્ત ખાનગી હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાંથી જ લઈ શકાય છે. અહીં કોઈપણ વ્યક્તિ પહેલો, બીજો કે ત્રીજો ડોઝ (Covid-19 vaccines in Market) મેળવી શકે છે. પરંતુ આમ કરતી વખતે, કોરોના વાયરસના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બધા બૂસ્ટર ડોઝ મેળવવા માટે સમર્થ હશે નહીં. તે ફક્ત વૃદ્ધો, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓને લાગુ પડશે.

15 થી 18 વર્ષની વયજૂથના કિશોરો માત્ર પ્રથમ અને બીજો ડોઝ જ મેળવી શકશે. આમાં પણ તેમને માત્ર કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ 15 વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવશે નહીં. આ સાથે ખાનગી ક્લિનિક અથવા હોસ્પિટલમાં જે પણ રસી લેવામાં આવશે તેની માહિતી પહેલાની જેમ કોવિન એપ પર આપવાની રહેશે. જેથી રસી મેળવનાર વ્યક્તિ તેનું પ્રમાણપત્ર મેળવી શકે. જ્યારે દેશમાં રસીકરણ અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે. માર્ગદર્શિકા અનુસાર, લોકોને મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ જો કોઈ ઈચ્છે તો કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં જાતે જઈ શકે છે.

આ પણ વાંચો:

Covid-19 Vaccination: દેશની 95% વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચો:

અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">