AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ

ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવાની સાથે રસીકરણ શરૂ થયુ. આ પછી 2 ફેબ્રુઆરી, 2021 થી ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતુ.

Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ
Union Health Minister Mansukh Mandaviya (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 4:28 PM
Share

Corona Vaccination: કોરોના વાયરસ સામે લડવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Corona Vaccine) જ માનવમાં આવે છે. ત્યારે દેશમાં હાલ પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)  શુક્રવારે જણાવ્યુ કે, માત્ર 19 દિવસમાં કોરોના વેક્સિનના 1 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ (precaution dose) આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 95 ટકા પાત્ર પુખ્ત વયના લોકોને એન્ટિ-કોવિડ-19 રસીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 74 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 49,69,805 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો આંકડો 164.35 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના 1,03,04,847 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો: માંડવિયા

મંત્રાલયનુ કહેવું છે કે 15-18 વર્ષની વયના 44281254 કિશોરોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દેશને અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે ભારતે પાત્રતા ધરાવતી વસ્તીના 95 ટકાથી વધુ લોકોને કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓની સખત મહેનત અને જનભાગીદારીના કારણે દેશ આ અભિયાનમાં સતત આગળ વધી રહ્યો છે.

ગયા વર્ષે 16 જાન્યુઆરીના રોજ દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીની રજૂઆત સાથે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ફેબ્રુઆરી, 2021થી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતુ. પછીના તબક્કામાં અન્ય જૂથોને વેક્સિન આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વયજૂથના કિશોરોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">