Odisha Cabinet Reshuffle: ઓડિશા કેબિનેટમાં ફેરબદલ, તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, નવા મંત્રીઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે લેશે શપથ

શાસક બીજુ જનતા દળ (BJD) એ 29 મે 2022 ના રોજ તેના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં ફેરબદલની આશા હતી અને હવે આ દિશામાં આગળ વધતા રાજ્યના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.

Odisha Cabinet Reshuffle: ઓડિશા કેબિનેટમાં ફેરબદલ, તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, નવા મંત્રીઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે લેશે શપથ
Odisha Cabinet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:28 PM

ઓડિશામાં (Odisha) કેબિનેટમાં ફેરબદલ થશે. સમાચાર એજન્સી ANIએ સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. હવે આવતીકાલે એટલે કે રવિવારે બપોરે 12 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. શાસક બીજુ જનતા દળ (BJD) એ 29 મે 2022 ના રોજ તેના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં ફેરબદલની આશા હતી અને હવે આ દિશામાં આગળ વધતા રાજ્યના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. મંત્રીઓના રાજીનામાને 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત અને પુનર્જીવિત કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારમાં રહેલા તમામ 20 મંત્રીઓએ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષને તેમના રાજીનામા સોંપી દીધા છે. સૂત્રોએ જણાવ્યું કે નવા કેબિનેટ મંત્રીઓ રવિવારે બપોરે 12 વાગ્યે રાજભવનના કન્વેન્શન હોલમાં શપથ લેશે. ચર્ચાઓનું બજાર ગરમ છે કે પ્રદીપ અમાત અને લતિકા પ્રધાનને મંત્રી પદ આપવામાં આવી શકે છે.

સૂત્રોએ આ માહિતી આપી છે. લોકસભા ચૂંટણીમાં બે વર્ષ બાકી છે અને આ માટે મતદાન 2024માં થવાનું છે. તે જ સમયે, 2024 માં જ ઓડિશાની વિધાનસભા ચૂંટણી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ અત્યારથી જ પોતાને મજબૂત કરવા અને લોકોમાં પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

વિવાદાસ્પદ મંત્રીઓને ફરી મંત્રી પદ નહીં મળે

જણાવી દઈએ કે બ્રજરાજનગર પેટાચૂંટણીમાં બીજેડીને જોરદાર જીત મળી છે અને નવીન પટનાયક સરકારના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. ત્યારથી કેબિનેટમાં ફેરબદલની અટકળોએ જોર પકડ્યું હતું. BJDએ પક્ષના ઉમેદવાર અલકા મોહંતીના પ્રચાર માટે લગભગ ડઝન જેટલા મંત્રીઓ અને 25થી વધુ ધારાસભ્યોને બ્રજરાજનગરમાં ઉતાર્યા હતા. આ બેઠક પર પક્ષનો વિજય થાય તે માટે આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેઓ સારી રીતે જાણતા હતા કે ફેરબદલ દરમિયાન તેમના કામને ધ્યાનમાં લઈને પાર્ટી તેમને કેબિનેટનો હિસ્સો બનાવી શકે છે.

બીજી તરફ વિવાદોમાં ઘેરાયેલા અને રાજ્ય સરકારની છબી ખરડનાર મંત્રીઓને બહારનો રસ્તો બતાવી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી નવીન પટનાયકના આદેશ પર સ્પીકર સૂર્ય નારાયણ પાત્રો, વાણિજ્ય અને પરિવહન મંત્રી પદ્મનાભ બેહેરા, માહિતી અને જનસંપર્ક મંત્રી રઘુનંદન દાસ, સ્ટીલ અને ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિક, કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રેમાનંદ નાયકે રાજીનામું આપી દીધું છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">