AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM અરવિંદ કેજરીવાલને મળ્યા નીતીશ કુમાર, વિપક્ષને એકજૂટ કરવા દિલ્હીના પ્રવાસે છે બિહારના મુખ્યમંત્રી

નીતિશ કુમાર (Nitish kumar) અને અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. કેજરીવાલે ક્યારેય નીતિશ કુમારની સીધી ટીકા કરી નથી. નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવ સાથે ગયા પછી કે એનડીએ સાથે સરકાર બનાવ્યા પછી પણ અરવિંદ કેજરીવાલે ક્યારેય નીતિશ કુમાર પર વ્યક્તિગત પ્રહારો કર્યો નથી.

CM અરવિંદ કેજરીવાલને મળ્યા નીતીશ કુમાર, વિપક્ષને એકજૂટ કરવા દિલ્હીના પ્રવાસે છે બિહારના મુખ્યમંત્રી
Nitish kumar meets delhi cm arvind kejriwalImage Credit source: TV9
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 4:04 PM
Share

વિપક્ષને એકત્ર કરવા દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે (Nitish Kumar)મંગળવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ ખૂબ જ ઉષ્માપૂર્ણ રીતે મળ્યા હતા. વિપક્ષોને એક કરવા માટે શરૂ કરાયેલા નવા અભિયાનના ભાગરૂપે નીતિશ કુમારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ સાથે ભોજન પણ કર્યું હતું. આ પછી નીતિશ કુમાર આજે ઓમ પ્રકાશ ચૌટાલાને મળશે, જ્યારે 7 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે. આ સિવાય નીતિશ અન્ય ઘણા વિપક્ષી નેતાઓને પણ મળશે.

નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. કેજરીવાલે ક્યારેય નીતિશ કુમારની સીધી ટીકા કરી નથી. નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવ સાથે ગયા પછી કે એનડીએ સાથે સરકાર બનાવ્યા પછી પણ અરવિંદ કેજરીવાલે ક્યારેય નીતિશ કુમાર પર વ્યક્તિગત પ્રહારો કર્યો નથી.

‘આપ’ની સરકાર બે રાજ્યોમાં છે

આ બેઠક બાદ જો બંને નેતાઓ વચ્ચે સમજૂતી થાય છે તો નીતિશ કુમારને મોટી સફળતા મળશે. દિલ્હી અને પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર છે. વિરોધ પક્ષોમાં અરવિંદ કેજરીવાલ સૌથી મજબૂત નેતા છે. તેમની પાર્ટી AAPને કોંગ્રેસનો વિકલ્પ કહેવામાં આવી રહ્યો છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે AAP હિમાચલ અને ગુજરાતમાં ભાજપને સખત ટક્કર આપી શકે છે.

નીતીશ કુમાર સીતારામ યેચુરીને મળ્યા

આ પહેલા નીતીશ કુમાર દિલ્હીમાં CPI(M) કાર્યાલય પહોંચ્યા હતા.અહીં તેઓ સીતારામ યેચુરીને મળ્યા હતા. સીતારામ યેચુરીને મળ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, અમે સાથે છીએ, એટલા માટે હું અહીં આવ્યો છું. તો જ્યારે સીતારામ યેચુરીએ કહ્યું કે જો આખા દેશમાં ડાબેરી પક્ષો ભેગા થાય તો તે મોટી વાત હશે. તેમણે કહ્યું કે જે લોકો બંધારણમાં વિશ્વાસ રાખે છે તેમને સાથે લઈને ચાલવું પડશે. વિપક્ષે એક થવું પડશે.

કેજરીવાલ કોંગ્રેસ સાથે રહેશે?

ભલે કેજરીવાલ અને નીતીશ કુમાર વચ્ચેના સંબંધો સારા રહ્યા છે પરંતુ મોટો સવાલ એ છે કે શું દિલ્હીના સીએમ પોતાની રાજકીય મહત્વકાંક્ષા છોડીને નીતિશ સાથે જોડાશે, જ્યાં કોંગ્રેસ પણ છે. તે સ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી દેશમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે. કોંગ્રેસની જેમ બે રાજ્યોમાં તેમની સરકાર છે. જેમાં દિલ્હી અને પંજાબ જેવા મોટા રાજ્યો છે.

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">