AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતંકવાદ પર NIAનો પ્રહાર ! જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરવામાં આવી

NIA Action Against Syed Salahuddin: સૈયદ સલાહુદ્દીન હાલમાં પાકિસ્તાનમાં છે અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ નાપાક પ્લાન બનાવે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તે સતત આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. હિઝબુલ આતંકવાદીઓ સરહદ પાર કરતી વખતે પકડાય છે અથવા માર્યા જાય છે.

આતંકવાદ પર NIAનો પ્રહાર ! જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરવામાં આવી
NIA attack on terrorism! Hizbul chief's son's property seized in Jammu Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:36 PM
Share

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં, કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ નામિત આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના પુત્રોની બે સંપત્તિઓ જપ્ત કરી છે. તે હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે. NIAએ શાહિદ યુસુફ અને સૈયદ અહેમદ શકીલની મિલકતો જપ્ત કરી છે, જે બડગામના સોઇબાગ તહસીલ અને નરસિંહ ગઢના મોહલ્લા રામગઢમાં સ્થિત છે. આતંકવાદી સલાહુદ્દીનના બંને પુત્રો દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

સૈયદ સલાહુદ્દીન 1993માં ભારતથી ભાગીને પાકિસ્તાન ગયો હતો અને 2020માં તેને નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તેમના એક પુત્રની 2017માં અને બીજાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, બંને સલાહુદ્દીનના નજીકના લોકો પાસેથી વિદેશથી ફંડ મેળવતા હતા અને હિઝબુલના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ પણ તેને ફંડ મોકલતા હતા.

NIAએ 2011માં તપાસ શરૂ કરી હતી

સૈયદ સલાહુદ્દીન આતંકવાદી સંગઠન હિઝબુલને ચલાવવા અને ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે વેપાર, હવાલા અને આંતરરાષ્ટ્રીય ભંડોળ મેળવતો હતો. તે ભારતમાં અનેક માધ્યમો દ્વારા ભંડોળ એકત્ર કરી રહ્યો હતો અને અહીં આતંકને પ્રોત્સાહન આપી રહ્યો હતો. 2011માં કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસની તપાસ શરૂ કરી હતી.

2018માં એજન્સીએ જમીન એટેચ કરી હતી

દિલ્હી પોલીસે વેપાર, હવાલા અને આંતરરાષ્ટ્રીય ચેનલો દ્વારા ભંડોળ એકત્ર કરવા બદલ કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એજન્સીએ 2011 અને 2018 વચ્ચે 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ, આતંકવાદ સામે કડક કાર્યવાહીમાં, એજન્સીએ લેથપોરામાં CRPF ગ્રુપ સેન્ટર પર 2018 ના હુમલા સંબંધિત કેસમાં અવંતીપોરામાં સ્થિત 6 દુકાનો જપ્ત કરી હતી. 2020માં સલાહુદ્દીનની એજન્સીએ કેટલીક જમીનો અટેચ કરી હતી.

આતંકવાદી સલાહુદ્દીન જેહાદ કાઉન્સિલનો વડા છે

સૈયદ સલાહુદ્દીન હાલમાં પાકિસ્તાનમાં છે અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ નાપાક પ્લાન બનાવે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તે સતત આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. હિઝબુલ આતંકવાદીઓ સરહદ પાર કરતી વખતે પકડાય છે અથવા માર્યા જાય છે. સલાહુદ્દીન વિશે એવું કહેવાય છે કે તે યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ (યુજેસી)નો વડા પણ છે. તેને મુત્તાહિદા જેહાદ કાઉન્સિલ (MJC) પણ કહેવામાં આવે છે, જે લગભગ 13 પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોનું જૂથ છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">