આતંકવાદ પર NIAનો પ્રહાર ! જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરવામાં આવી

NIA Action Against Syed Salahuddin: સૈયદ સલાહુદ્દીન હાલમાં પાકિસ્તાનમાં છે અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ નાપાક પ્લાન બનાવે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તે સતત આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. હિઝબુલ આતંકવાદીઓ સરહદ પાર કરતી વખતે પકડાય છે અથવા માર્યા જાય છે.

આતંકવાદ પર NIAનો પ્રહાર ! જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરવામાં આવી
NIA attack on terrorism! Hizbul chief's son's property seized in Jammu Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:36 PM

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં, કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ નામિત આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના પુત્રોની બે સંપત્તિઓ જપ્ત કરી છે. તે હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે. NIAએ શાહિદ યુસુફ અને સૈયદ અહેમદ શકીલની મિલકતો જપ્ત કરી છે, જે બડગામના સોઇબાગ તહસીલ અને નરસિંહ ગઢના મોહલ્લા રામગઢમાં સ્થિત છે. આતંકવાદી સલાહુદ્દીનના બંને પુત્રો દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

સૈયદ સલાહુદ્દીન 1993માં ભારતથી ભાગીને પાકિસ્તાન ગયો હતો અને 2020માં તેને નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તેમના એક પુત્રની 2017માં અને બીજાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, બંને સલાહુદ્દીનના નજીકના લોકો પાસેથી વિદેશથી ફંડ મેળવતા હતા અને હિઝબુલના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ પણ તેને ફંડ મોકલતા હતા.

ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024

NIAએ 2011માં તપાસ શરૂ કરી હતી

સૈયદ સલાહુદ્દીન આતંકવાદી સંગઠન હિઝબુલને ચલાવવા અને ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે વેપાર, હવાલા અને આંતરરાષ્ટ્રીય ભંડોળ મેળવતો હતો. તે ભારતમાં અનેક માધ્યમો દ્વારા ભંડોળ એકત્ર કરી રહ્યો હતો અને અહીં આતંકને પ્રોત્સાહન આપી રહ્યો હતો. 2011માં કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસની તપાસ શરૂ કરી હતી.

2018માં એજન્સીએ જમીન એટેચ કરી હતી

દિલ્હી પોલીસે વેપાર, હવાલા અને આંતરરાષ્ટ્રીય ચેનલો દ્વારા ભંડોળ એકત્ર કરવા બદલ કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એજન્સીએ 2011 અને 2018 વચ્ચે 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ, આતંકવાદ સામે કડક કાર્યવાહીમાં, એજન્સીએ લેથપોરામાં CRPF ગ્રુપ સેન્ટર પર 2018 ના હુમલા સંબંધિત કેસમાં અવંતીપોરામાં સ્થિત 6 દુકાનો જપ્ત કરી હતી. 2020માં સલાહુદ્દીનની એજન્સીએ કેટલીક જમીનો અટેચ કરી હતી.

આતંકવાદી સલાહુદ્દીન જેહાદ કાઉન્સિલનો વડા છે

સૈયદ સલાહુદ્દીન હાલમાં પાકિસ્તાનમાં છે અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ નાપાક પ્લાન બનાવે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તે સતત આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. હિઝબુલ આતંકવાદીઓ સરહદ પાર કરતી વખતે પકડાય છે અથવા માર્યા જાય છે. સલાહુદ્દીન વિશે એવું કહેવાય છે કે તે યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ (યુજેસી)નો વડા પણ છે. તેને મુત્તાહિદા જેહાદ કાઉન્સિલ (MJC) પણ કહેવામાં આવે છે, જે લગભગ 13 પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોનું જૂથ છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">