દેશની 765 એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની કોલેજોમાં તાળા લાગી જવાથી 4.24 લાખ બેઠક ઓછી થઈ જશે. વર્ષ 2018માં 545 કોલેજો બંધ કરી દેવાઈ છે. જેના કારણે 3.30 લાખ જેટલી બેઠક જુદા-જુદા વિષયની ઓછી થઈ ગઈ છે. 237 કોલેજ પર AICTEએ તાળા લગાવી દીધા છે. તો 226 કોલેજના સંચાલકોએ જ તાળા લગાવી દીધા છે.
AICTE અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદ હવે એન્જિનિયરિંગ અને મેજેમેન્ટ, ફાર્મસી સહિત આર્કિટેક્ચર જેવા વિષયોમાં માત્ર 32 લાખ 9 હજાર બેઠક પર જ એડ્મિશન આપશે. કુલ 765 એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ કોલેજ પર તાળા લાગ્યા બાદ 4.24 લાખ બેઠકો ઓછી થઈ ગઈ છે.
જાણો કોલેજો પર તાળા લાગવાના કારણ
દેશની 237 કોલેજ પર AICTEએ એટલા માટે તાળા લગાવ્યા છે કારણ કે આ સંસ્થાઓ નિયમો આધારીત અભ્યાસ નહોતી કરાવતી. તો 226 જેટલી કોલેજોએ પોતાની સંસ્થામાં આ વિષયોનો અભ્યાસ ચાલુ રાખવાની મનાઈ ફરમાવી હતી. કોલેજો એ કહ્યું હૈ કે કોલેજોમાં જેટલી બેઠક છે તેમાં પણ વિદ્યાર્થીઓ મળતા નથી. જેથી ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની રહ્યું હતું. જે કોલેજો બંધ થઈ ચૂકી છે તેની એક યાદી AICTEની વેબ સાઈટ પર રાખી છે. તો એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે જૂના વિષયોના અભ્યાસના કારણે નોકરી મળવામાં તકલીફ થતી હતી જેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]c