હવે 21 દિવસમાં તમારી કોઈ પણ ફરિયાદોનું નિરાકરણ કરશે સરકાર, જાણો શું છે નવો નિયમ?

સરકારે નાગરિકોની વિવિધ ફરિયાદો ઉકેલવા માટેની સમય મર્યાદા ઘટાડીને 60 દિવસની હતી તેને 21 દિવસ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ તમામ સરકારી વિભાગોને આ સૂચના જાહેર કરવામાં આવી છે.

હવે 21 દિવસમાં તમારી કોઈ પણ ફરિયાદોનું નિરાકરણ કરશે સરકાર, જાણો શું છે નવો નિયમ?
Follow Us:
| Updated on: Aug 26, 2024 | 7:19 PM

હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ કોઈ ફરિયાદ કરશે તો તેમની ફરિયાદો 21 દિવસમાં ઉકેલવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ સરકારી વિભાગોને આ સૂચના જારી કરવામાં આવી છે. અગાઉ, સરકારી વિભાગોને ફરિયાદોના નિરાકરણ માટે 60 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જેને હવે ઘટાડવામાં આવી છે.

દેશના લોકોની ફરિયાદોના નિરાકરણ માટે પહેલા હતી 30 દિવસની સમય મર્યાદા

જાહેર ફરિયાદોના નિરાકરણ માટે, કેન્દ્ર સરકારે 2020માં સમય મર્યાદા ઘટાડીને 45 દિવસ અને 2022માં 30 દિવસ કરી. હવે તેને 21 દિવસ કરવામાં આવી છે. સરકારને સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) પર દર વર્ષે 30 લાખથી વધુ જાહેર ફરિયાદો મળે છે.

ફરિયાદીનો સંપર્ક હવે અધિકારી કરશે

નવી સૂચનાઓ મુજબ, જો ફરિયાદ માટે વધારાના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો કોઈ ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. CPGRAMS પર, ફરિયાદ અધિકારીઓ નાગરિકોનો સંપર્ક કરી શકે છે અને જરૂરિયાત મુજબ વધારાના દસ્તાવેજો મેળવી શકે છે.

ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 13-09-2024

કોઈ પણ સંજોગોમાં ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં

‘સરકારના સંપૂર્ણ અભિગમ’ હેઠળ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ‘તે આ મંત્રાલય/વિભાગ/ઓફિસ સાથે સંબંધિત નથી’ એમ કહીને કોઈ પણ સંજોગોમાં ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. જો ફરિયાદનો વિષય પ્રાપ્ત કરનાર મંત્રાલય સાથે સંબંધિત ન હોય, તો તેને યોગ્ય સત્તાધિકારીને સ્થાનાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

સરેરાશ 13 દિવસમાં થઈ રહ્યું છે સમાધાન

આ વર્ષે અત્યાર સુધી, કેન્દ્ર સરેરાશ 13 દિવસમાં ફરિયાદોનું નિરાકરણ કરી રહ્યું છે. જુલાઈ 2024માં, કેન્દ્રીય સચિવાલયમાં સતત 25મા મહિને માસિક નિકાલ એક લાખ કેસને વટાવી ગયો. જેના કારણે પેન્ડિંગ કેસોમાં ઘટાડો થયો છે. સરકારના દાવા મુજબ કેન્દ્રીય સચિવાલયમાં પેન્ડિંગ ફરિયાદોની સંખ્યા ઘટીને 66,060 થઈ ગઈ છે. આમાંથી 69% ફરિયાદો 30 દિવસથી ઓછા સમય માટે પેન્ડિંગ છે.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">