AIIMSના નવા અભ્યાસમાં દાવો, કોરોના રસીના બે ડોઝ દુર કરશે પોસ્ટ કોવિડ લક્ષણ

AIIMSના સાત વિભાગોએ મળીને આ સંશોધન કર્યું છે. આ વિભાગો ડો.રાજેન્દ્ર પ્રસાદ નેત્ર ચિકિત્સા, મનોચિકિત્સા, પલ્મોનરી, મેડિસિન, એન્ડ્રોક્રોયનોલોજી, માઇક્રોબાયોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટ છે.

AIIMSના નવા અભ્યાસમાં દાવો, કોરોના રસીના બે ડોઝ દુર કરશે પોસ્ટ કોવિડ લક્ષણ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:33 PM

કોવિડ સંક્રમણની સારવાર બાદ સાજા થયા પછી પોસ્ટ કોવિડ અસર પર ઘણા મેડીકલ અભ્યાસો સામે આવ્યા છે. પરંતુ  નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ પ્રથમ વખત રસીકરણ અને કોવિડ પછીના લક્ષણો વિશે માહિતી મેળવી છે.

અભ્યાસ મુજબ, કોરોનાની રસી પોસ્ટ કોવિડ લક્ષણોને રોકવામાં પણ મદદરૂપ છે. AIIMS અનુસાર રસીના બે ડોઝ કોરોનાથી સાજા થયેલા લોકોમાં પોસ્ટ કોવિડ લક્ષણોમાં રાહત આપી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો કોરોનામાંથી સાજા થયા પછી કોરોનાની રસીનો ડોઝ લઈ રહ્યા છે તેમનામાં પોસ્ટ કોવિડના લક્ષણો ઓછા દેખાય છે. તે જ સમયે જે લોકોએ રસી લીધી નથી. તેઓ કોરોનામાંથી સાજા થયા પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સંશોધન હાલમાં મેડિકલ જર્નલ મેડરેક્સીવમાં સમીક્ષા હેઠળ છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

AIIMSના સાત વિભાગોએ એક સાથે મળીને કર્યો હતો અભ્યાસ

AIIMSના સાત વિભાગોએ મળીને આ સંશોધન કર્યું છે. આ વિભાગો ડો.રાજેન્દ્ર પ્રસાદ નેત્ર ચિકિત્સા, મનોચિકિત્સા, પલ્મોનરી, મેડિસિન, એન્ડ્રોક્રોયનોલોજી, માઈક્રોબાયોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટ છે. આ વિભાગો સિવાય, આરોગ્ય કર્મચારીઓ અને AIIMS નો અન્ય સ્ટાફ પણ આમાં સામેલ હતો.

ડોકટરોના જણાવ્યા અનુસાર આ વિષયનો અભ્યાસ કરવા માટે જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે 1800થી વધુ કોરોના દર્દીઓ તેમની પાસે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 33.20 ટકા એવા દર્દીઓ હતા જેઓ સ્વસ્થ થયા પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તે દર્દીઓમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળી રહ્યા હતા.  જ્યારે કુલ 1,801 દર્દીઓની પસંદગી કર્યા પછી અભ્યાસ શરૂ થયો, ત્યારે 773 દર્દીઓ પાસેથી પૂરતી માહિતી મેળવી શકાય છે.

શું છે પોસ્ટ કોવિડ ઈફેક્ટ?

પોસ્ટ કોવિડ સિન્ડ્રોમનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દી નેગેટિવ હોવા છતાં કેટલાક દિવસો કે મહિનાઓ સુધી તેનાથી સંકળાયેલા લક્ષણો અથવા આડઅસરોનો અનુભવ કરતો રહે છે. તે સાચું છે કે વાયરસ પહેલા ફેફસાને અસર કરે છે પરંતુ તે કિડની, લીવર, હૃદય અને રુધિરવાહિનીઓને પણ અસર કરી શકે છે.  કોરોના વાયરસ ફેફસાને ખૂબ જ ઝડપથી નુકસાન પહોંચાડે છે, જે આગળ જતા ફાઈબ્રોસિસનું જોખમ વધારે છે.

પલ્મોનરી ફાઈબ્રોસિસ એક ગંભીર રોગ છે જે ફેફસાની પેશીઓને નુકસાન પહોંચાડે છે. એ નોંધવું જોઈએ કે ફાઈબ્રોસિસ ફેફસાને નુકસાન પહોંચાડવાનો છેલ્લો તબક્કો છે. એટલે કે તેનો દર્દી સંપૂર્ણપણે આ રોગની પકડમાં આવી જાય છે. પલ્મોનરી ફાઈબ્રોસિસમાં ફેફસાની આંતરિક પેશીઓ જાડી અથવા સખત બને છે. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે છે. ધીરે ધીરે, દર્દીના લોહીમાં ઓક્સિજનનો અભાવ જોવા મળે છે.

આ પણ વાંચો :  Maharashtra Bandh: અમૃતા ફડણવીસે મહારાષ્ટ્ર બંધ વચ્ચે ટ્વીટ કરીને પૂછ્યું- ‘આજે વસુલી ચાલુ છે કે બંધ?’

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">