Asani Cyclone: વાવાઝોડુ ‘આસાની’ને પહોંચી વળવા NDRFની 50 ટીમો તહેનાત, હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરની ચેતવણી જાહેર કરી
Asani Cyclone Update: વાવાઝોડુ અસાની આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, ભારતીય હવામાન વિભાગે મંગળવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન તેમજ પૂરને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડુ અસાનીથી (Asani Cyclone) પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી (Rescue Operation) હાથ ધરવા NDRFની કુલ 50 ટીમોને તૈયાર રાખવામાં આવી છે. એનડીઆરએફના પ્રવક્તાએ કહ્યું કે વાવાઝોડાને ધ્યાને રાખીને 50 ટીમોમાંથી 22ને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તહેનાત કરવામાં આવી છે અને બાકીની 28 ટીમોને અન્ય રાજ્યોમાં એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 12 ટીમો, આંધ્ર પ્રદેશમાં નવ અને ઓડિશાના બાલાસોરમાં એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને બચાવવા અને રાહત કામગીરી શરૂ કરવા માટે સામાન્ય રીતે 47 કર્મચારીઓ ધરાવતી NDRF ટીમ વૃક્ષ કાપવાના સાધનો, સંચાર પ્રણાલીના સાધનો, રબર બોટ અને મૂળભૂત તબીબી સહાયથી સજ્જ હોય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડુ પહેલાથી જ તીવ્રતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે અને હવે તે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે તીવ્ર ચક્રવાતી તોફાન બુધવારે નબળું પડીને વાવાઝોડામા પરિણમશે અને ગુરુવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
IMD એ આંધ્રના તટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે
ચક્રવાતી તોફાન અસાની આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, ભારતીય હવામાન વિભાગે મંગળવારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે વાવાઝોડુ, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને સ્થાનિક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, અસાની લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે. આસાની પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે, જે દિવસ દરમિયાન 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે છે. અસાની વાવાઝોડુ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બપોરે 2.30 વાગ્યે કાકીનાડા (આંધ્ર પ્રદેશ) ના 210 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થી 310 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, ગોપાલપુર (ઓડિશા) થી 590 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. પુરી (ઓડિશા) થી પશ્ચિમ અને 640 કિમી દક્ષિણ-પશ્ચિમ.
ચક્રવાતી તોફાન 12 મે સુધીમાં નબળું પડી શકે છે
વાવાઝોડુ અસાની લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બુધવારની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી કાકીનાડા-વિશાખાપટ્ટનમ દરિયાકિનારાની નજીક પહોંચે તેવી સંભાવના છે, IMD બુલેટિનમાં જણાવાયું છે. ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ ધીમે ધીમે વળશે અને કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આગળ વધે અને પછી ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠેથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ ફંટાય તેવી સંભાવના છે. તે ધીમે ધીમે નબળુંની શક્યતા છે. બુધવારની સવાર સુધીમાં અને 12 મેની સવાર સુધીમાં વાવાઝોડુ અસાની વધુ નબળું પડી જશે.
IMD એ ઉચા મોજા ઉછળવાની આગાહી કરી છે, જે આંધ્ર પ્રદેશના કૃષ્ણા, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી અને વિશાખાપટ્ટનમ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે. માછીમારોને મંગળવાર અને બુધવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં માછીમારીની કામગીરીને સંપૂર્ણ સ્થગિત કરવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં આ ચેતવણી 12 મે સુધી ચાલુ રહેશે.
50 Teams Of Ndrf Ready For Rescue Operation In Areas Affected By Cyclone Asani