Nagaland Election Results: નાગાલેન્ડમાં ભાજપની 12 સીટ પર જીત, નેફિયુ રિયો ફરીથી બની શકે છે મુખ્યમંત્રી

આ જીત સાથે, રિયોએ વરિષ્ઠ નેતા એસસી જમીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે ત્રણ વખત પૂર્વોત્તર રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, NDPP ચીફ રિયોએ કોંગ્રેસના ઉમેદવાર સેવિલી સાચુને હરાવીને નોર્થ અંગામી 2 સીટ જીતી હતી.

Nagaland Election Results: નાગાલેન્ડમાં ભાજપની 12 સીટ પર જીત, નેફિયુ રિયો ફરીથી બની શકે છે મુખ્યમંત્રી
Nagaland Election ResultsImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:52 PM

નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)-ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનને બહુમતી મળ્યા બાદ મુખ્ય પ્રધાન નેફિયુ રિયો પાંચમી વખત મુખ્ય પ્રધાન બનવાનું લગભગ નિશ્ચિત છે. સત્તારૂઢ NDPP-BJP ગઠબંધને ગુરુવારે 60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભામાં 37 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. આ જીત સાથે, રિયોએ વરિષ્ઠ નેતા એસસી જમીરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે ત્રણ વખત પૂર્વોત્તર રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, NDPP ચીફ રિયોએ કોંગ્રેસના ઉમેદવાર સેવિલી સાચુને હરાવીને નોર્થ અંગામી-2 સીટ જીતી હતી.

આ પણ વાંચો: Tripura Election Results: ત્રિપુરામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, 32 સીટ પર મેળવી જીતી

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીને 12 સીટ પર જીત મળી છે ત્યારે જનતા દળને 1 તેમજ લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ)ને 2 તેમજ નાગા પીપલ્સ ફ્રન્ટને 2, નેશનલ પીપલ્સ પાર્ટી 5 તથા નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 25 સીટ પર જીત મળી છે. રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાને 2 સીટ પર જીત મળી છે જ્યારે અન્યને 4 સીટ પર જીત મળી છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

નેફિયુ રિયો નાગાલેન્ડમાં ફરી તાજ મેળવશે

આ વખતે નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિન્મી ઝુનહેબોટોની અકુલુટો બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આવી સ્થિતિમાં આ બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી. ભારતીય જનતા પાર્ટી અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) એ ગઠબંધન કર્યું છે. આ અંતર્ગત NDPPએ 40 સીટો પર અને બીજેપીએ 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય કોંગ્રેસ અને NPF અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસે 23 અને NPFએ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 19 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડી હતી.

2018 માં, વિધાનસભાના તમામ 60 સભ્યો  સરકારનો  હિસ્સો બન્યા. મતલબ કે કોઈ વિરોધમાં નહોતું. એનડીપીપીના નેફિયુ રિયોને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ વખતે પણ ભાજપ અને NDPP ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સીધી સરકાર બનાવવા જઈ રહ્યું છે. કોંગ્રેસ અને NPFને મોટો ફટકો પડ્યો છે. બંને પક્ષો ચૂંટણીમાં કંઈ ખાસ હાંસલ કરી શક્યા નથી.

હવે મુખ્યમંત્રીની વાત કરીએ તો અહીં NDPPના ચીફ નેફિયુ રિયો ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. રિયોને ભાજપનું સમર્થન પણ છે. આ ચૂંટણીમાં જેડીયુના ચાર ઉમેદવારો, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના 2 ઉમેદવારનો પણ વિજય થયો છે. આવી સ્થિતિમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ધારાસભ્ય પણ સરકારમાં સામેલ થઈ શકે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">