AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આંદામાન સુધી પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું, હવે કેરળમાં વહેલી થશે પધરામણી - જુઓ Video

Breaking News : આંદામાન સુધી પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું, હવે કેરળમાં વહેલી થશે પધરામણી – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2025 | 7:34 PM
Share

હવામાન વિભાગે કરેલી જાહેરાત અનુસાર, નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર સમય કરતા પહેલાથી જ પધારી ગયું છે. બીજું કે, ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નિયત સમયગાળા કરતા વહેલું આવે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે. બીજું કે, વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતા વહેલું આવશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, ચોમાસાની ગતિવિધિ ઝડપથી આગળ વધી રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ શરૂ થાય છે પરંતુ આ વખતે 27 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે.

જો આ અનુમાન સાચું હશે તો, ગુજરાતમાં ચોમાસું જૂનના પ્રથમ સપ્તાહના અંતે શરૂ થઈ શકે છે. ચોમાસું વહેલી તકે આગમન કરશે તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહેવાશે, કારણ કે વહેલું ચોમાસું ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">