Breaking News : આંદામાન સુધી પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું, હવે કેરળમાં વહેલી થશે પધરામણી – જુઓ Video
હવામાન વિભાગે કરેલી જાહેરાત અનુસાર, નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર સમય કરતા પહેલાથી જ પધારી ગયું છે. બીજું કે, ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નિયત સમયગાળા કરતા વહેલું આવે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે. બીજું કે, વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યાં છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતા વહેલું આવશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, ચોમાસાની ગતિવિધિ ઝડપથી આગળ વધી રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ શરૂ થાય છે પરંતુ આ વખતે 27 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે.
જો આ અનુમાન સાચું હશે તો, ગુજરાતમાં ચોમાસું જૂનના પ્રથમ સપ્તાહના અંતે શરૂ થઈ શકે છે. ચોમાસું વહેલી તકે આગમન કરશે તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહેવાશે, કારણ કે વહેલું ચોમાસું ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
