AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: પંજાબમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને બચાવાયા, રોગોચાળાનું જોખમ વધ્યું

પંજાબના લગભગ 15 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લાઓના મોટાભાગના ગામો પાણીમાં ડૂબી ગયા છે. જો કે, પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, મૃત્યુઆંક હવે 32 પર પહોંચી ગયો છે.

Monsoon 2023: પંજાબમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને બચાવાયા, રોગોચાળાનું જોખમ વધ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:42 PM
Share

પંજાબમાં ભારે વરસાદ (heavy rain) અને પૂરના કારણે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. રાજ્યના 15 જિલ્લા પૂરની ઝપેટમાં છે. આ જિલ્લાઓમાંથી લગભગ 26000 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યમાં પૂરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા 148 રાહત શિબિતની સ્થાપના કરવામાં આવી છે. આ શિબિરોમાં 3,731 લોકોએ આશ્રય લીધો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબના 15 જિલ્લાના લગભગ 1414 ગામો પૂરની ઝપેટમાં છે. પંજાબના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટિયાલા, મોગા, લુધિયાણા, મોહાલી, જલંધર, સંગરુર, પઠાણકોટ, તરનતારન, ફિરોઝપુર, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, હોશિયારપુર, રૂપનગર અને એસબીએસ નગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પૂરનું પાણી હાલ ધીમે ધીમે ઓસરી રહ્યું છે.

અહીં શનિવારે, હોશિયારપુરના દસુયા સબ-ડિવિઝનમાં રાતોરાત ભારે વરસાદ પછી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ઉતાવળમાં અધિકારીઓ વિસ્તારમાં પહોંચ્યા અને ગામના લોકોને સલામત સ્થળે લઈ ગયા. વરસાદને કારણે ખોખરા, હાલેર, સોંસપુર, બિસોચક, સાગરન, પવન, બમિયાલ, જીઓ ચક, ધાધર, બેહબોવાલ, ઘંગોવાલ, જલાલચક, તો, માંડ અને પાંઢેર સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા.

ભારે વરસાદ બાદ પૂરના કારણે પાણીજન્ય રોગોનો ભય પણ મંડરાઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને આવા કોઈપણ રોગચાળાને રોકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં પૂરના પાણી ઓસર્યા છે ત્યાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવ્યા, અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કઢાયા

હરિયાણામાં અત્યાર સુધીમાં 30ના મોત

પડોશી રાજ્ય હરિયાણામાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 6000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પંજાબના 15 અને હરિયાણાના 13 જિલ્લા પૂરની ઝપેટમાં છે. હરિયાણાના યમુનાનગરમાં હથિનીકુડ બેરેજ ખાતે સવારે 8 વાગ્યે પાણીનું સ્તર 54,282 ક્યુસેક હતું, જે બપોરે 2 વાગ્યે વધીને 81,430 ક્યુસેક થયું હતું અને પછી સાંજે 5 વાગ્યે ઘટીને 61,592 ક્યુસેક થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">