AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh Flood: પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવ્યા, અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કઢાયા

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાંથી 26 મૃતદેહો મળી આવ્યા છે. સોલન, સિરમૌર, કાંગડા અને કુલ્લુ-મનાલી જેવા વિસ્તારોમાં 17 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ છે.

Himachal Pradesh Flood: પૂરમાં ફસાયેલા 70 હજાર લોકોને બચાવ્યા, અત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કઢાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:36 PM
Share

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં (Kullu-Manali) ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે ભયંકર તબાહી સર્જાઈ હતી. કુલ્લુ-મનાલીમાં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 70,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિને કારણે જે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને ફરીથી ખોલવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં સોલન, સિરમૌર, કાંગડા અને કુલ્લુ-મનાલી જેવા વિસ્તારોમાં 17 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ડીજીપી સંજય કુંડુએ જણાવ્યું કે કુલ્લુમાંથી અત્યાર સુધીમાં 70,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 29 દેશોના 687 પ્રવાસીઓને બચાવી લેવાયા છે. તેમણે કહ્યું કે કુલ 26 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં કુલ્લુમાંથી 18 અને શ્રીખંડ મહાદેવના 8 મૃતદેહો સામેલ છે. અત્યાર સુધીમાં 22 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે પૂરમાં કોઈને ફસાવવામાં નહીં આવે.

બંધ રસ્તા જલ્દી ખોલવામાં આવશે : અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યના બિલાસપુરમાં ‘જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ’ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા માનીએ છીએ કે આ પૂરને જોતા સામાન્ય માણસને મદદ કરવી પડશે. જે રસ્તાઓ પૂરથી પ્રભાવિત થયા છે તેનું સમારકામ કરવામાં આવે અને જે રસ્તાઓ બંધ છે તે જલ્દી ખોલવામાં આવે. તેમણે કહ્યું કે સરકાર અને જનતાએ સાથે મળીને મદદ માટે આગળ આવવું જોઈએ.

વરસાદને લઈને વહીવટીતંત્ર એલર્ટ

IMD-શિમલાએ કહ્યું કે 17 જુલાઈ સુધી ચંબા, કાંગડા, સિરમૌર, શિમલા અને કુલ્લુ જિલ્લામાં પૂરનો થોડો ખતરો છે. હિમાચલ પ્રદેશના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સોલન, સિરમૌર, કાંગડા અને કુલ્લુ-મનાલી જેવા વિસ્તારોમાં 17 જુલાઈ સુધી ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું હતું. આ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો, પરંતુ જે રીતે તબાહી અગાઉ જોવા મળી હતી તે આ વખતે જોવા મળી નથી.

આ પણ વાંચો : RSSનું મિશન દક્ષિણ! સામાજિક જવાબદારી દ્વારા પ્રવેશ મેળવવાની કવાયત

ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈના રોજ થયેલા ભારે વરસાદ બાદ રાજ્યની નદીઓ અને નાળાઓએ પૂરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે હિમાચલમાં ભયંકર તબાહી જોવા મળી હતી. પૂરના કારણે દુકાનો, મકાનોથી લઈને હોટલ સુધીની દરેક વસ્તુ નાશ પામી હતી. જો કે, વરસાદના કારણે તે પ્રકારની તબાહી જોવા મળી ન હોવા છતાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">