Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંધ પ્રમુખ ભાગવતે કહ્યુ, 15 વર્ષમાં દેશ ફરીથી બનશે અખંડ ભારત, અડચણ સર્જનારા ખોવાઈ જશે

મોહન ભાગવતે કહ્યું કે અમે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ હાથમાં લાકડી લઈને આ વાત કહીશું. આપણા મનમાં કોઈ દ્વેષ, દુશ્મનીનો ભાવ નથી, પણ જો દુનિયા શક્તિમાં જ માનતી હોય તો આપણે શું કરીએ?

સંધ પ્રમુખ ભાગવતે કહ્યુ, 15 વર્ષમાં દેશ ફરીથી બનશે અખંડ ભારત, અડચણ સર્જનારા ખોવાઈ જશે
Mohan Bhagwat (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 6:12 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. 15 વર્ષમાં ભારત (India) ફરીથી અખંડ ભારત બનશે. આ બધું આપણે આપણી આંખે જોઈશું. તેમણે કહ્યું કે જો કે સંતો અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ 20 થી 25 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે. જો આપણે સૌ સાથે મળીને આ કાર્યની ઝડપ વધારીએ તો આગામી 10-15 વર્ષમાં ભારત, અખંડ ભારત બની જશે.

અમર ઉજાલાના અહેવાલ અનુસાર, આરએસએસના વડા બુધવારે બ્રહ્મલિન મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી દિવ્યાનંદ ગિરી, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ગુરુત્રય મંદિરની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા કનખલમાં સન્યાસ રોડ પર આવેલા શ્રી કૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જે તેના માર્ગમાં આવશે તે નષ્ટ પામશે. તેમણે કહ્યું કે આપણે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ હાથમાં લાકડી લઈને આ વાત કરીશું. આપણા મનમાં કોઈ દ્વેષ કે દુશ્મનીનો ભાવ નથી, પણ જો દુનિયા શક્તિમાં જ માનતી હોય તો આપણે બીજુ શું કરીએ ?

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે જે રીતે ભગવાન કૃષ્ણની આંગળીમાંથી ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, ગોપાલોએ વિચાર્યું કે તેમની લાકડીઓના ટેકે ગોવર્ધન પર્વતને ટક્યો છે. જ્યારે ભગવાન કૃષ્ણે આંગળી હટાવી ત્યારે પર્વત નમવા લાગ્યો. ત્યારે ગોપાલોને ખબર પડી કે ભગવાન કૃષ્ણની આંગળી વડે પર્વત ઉચકાયો હતો. આપણે બધા આ રીતે લાકડી તો લાવીશુ, પરંતુ જો આપણે સંતોના રૂપમાં આ મહાન કાર્ય માટે આંગળી લગાવાશે, તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરબિંદોના અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન ટૂંક સમયમાં જ સાકાર થશે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને ભારત સમાન શબ્દો છે. પણ જ્યારે રાજ્ય બદલાય છે ત્યારે રાજા પણ બદલાય છે.

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે

તેમણે કહ્યું કે આપણી રાષ્ટ્રીયતા ગંગાના પ્રવાહની જેમ ખળ ખળ વહી રહી છે. જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે. ધર્મના ઉત્થાનના પ્રયાસો થશે તો ભારતનો ઉદય થશે. ભારતમાં સનાતન ધર્મનો અંત લાવવા માટે એક હજાર વર્ષ સુધી સતત પ્રયાસો થયા, પરંતુ તેઓ સફળ ના થયા. પરંતુ આપણે અને સનાતન ધર્મ હજુ પણ ત્યાં જ છીએ. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના દરેક પ્રકારના વ્યક્તિની દુષ્ટ વૃત્તિનો અંત આવે છે. જ્યારે તે ભારત આવે છે, ત્યારે તે કાં તો સાજો થઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે.

ભાગવતે કહ્યું કે જે કહેવાતા કેટલાક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમનો પણ તેમાં સહયોગ છે. જો તેઓએ વિરોધ ના કર્યો હોત તો હિંદુ જાગ્યા ના હોત. આ પ્રસંગે મહામંડલેશ્વર સ્વામી ગિરધર, સ્વામી વિશોકાનંદ ભારતી, સ્વામી વિવેકાનંદ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહાનિર્વાણી અખાડાના સચિવ રવિન્દ્રપુરી, મહામંડલેશ્વર હરિચેતાનંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ

Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત

આ પણ વાંચોઃ

વડાપ્રધાન મોદી આવતી કાલે ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરશે

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">