AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંધ પ્રમુખ ભાગવતે કહ્યુ, 15 વર્ષમાં દેશ ફરીથી બનશે અખંડ ભારત, અડચણ સર્જનારા ખોવાઈ જશે

મોહન ભાગવતે કહ્યું કે અમે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ હાથમાં લાકડી લઈને આ વાત કહીશું. આપણા મનમાં કોઈ દ્વેષ, દુશ્મનીનો ભાવ નથી, પણ જો દુનિયા શક્તિમાં જ માનતી હોય તો આપણે શું કરીએ?

સંધ પ્રમુખ ભાગવતે કહ્યુ, 15 વર્ષમાં દેશ ફરીથી બનશે અખંડ ભારત, અડચણ સર્જનારા ખોવાઈ જશે
Mohan Bhagwat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 6:12 PM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. 15 વર્ષમાં ભારત (India) ફરીથી અખંડ ભારત બનશે. આ બધું આપણે આપણી આંખે જોઈશું. તેમણે કહ્યું કે જો કે સંતો અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ 20 થી 25 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે. જો આપણે સૌ સાથે મળીને આ કાર્યની ઝડપ વધારીએ તો આગામી 10-15 વર્ષમાં ભારત, અખંડ ભારત બની જશે.

અમર ઉજાલાના અહેવાલ અનુસાર, આરએસએસના વડા બુધવારે બ્રહ્મલિન મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી દિવ્યાનંદ ગિરી, પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી ગુરુત્રય મંદિરની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા કનખલમાં સન્યાસ રોડ પર આવેલા શ્રી કૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જે તેના માર્ગમાં આવશે તે નષ્ટ પામશે. તેમણે કહ્યું કે આપણે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ હાથમાં લાકડી લઈને આ વાત કરીશું. આપણા મનમાં કોઈ દ્વેષ કે દુશ્મનીનો ભાવ નથી, પણ જો દુનિયા શક્તિમાં જ માનતી હોય તો આપણે બીજુ શું કરીએ ?

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે જે રીતે ભગવાન કૃષ્ણની આંગળીમાંથી ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, ગોપાલોએ વિચાર્યું કે તેમની લાકડીઓના ટેકે ગોવર્ધન પર્વતને ટક્યો છે. જ્યારે ભગવાન કૃષ્ણે આંગળી હટાવી ત્યારે પર્વત નમવા લાગ્યો. ત્યારે ગોપાલોને ખબર પડી કે ભગવાન કૃષ્ણની આંગળી વડે પર્વત ઉચકાયો હતો. આપણે બધા આ રીતે લાકડી તો લાવીશુ, પરંતુ જો આપણે સંતોના રૂપમાં આ મહાન કાર્ય માટે આંગળી લગાવાશે, તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરબિંદોના અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન ટૂંક સમયમાં જ સાકાર થશે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને ભારત સમાન શબ્દો છે. પણ જ્યારે રાજ્ય બદલાય છે ત્યારે રાજા પણ બદલાય છે.

જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે

તેમણે કહ્યું કે આપણી રાષ્ટ્રીયતા ગંગાના પ્રવાહની જેમ ખળ ખળ વહી રહી છે. જ્યાં સુધી રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે. ધર્મના ઉત્થાનના પ્રયાસો થશે તો ભારતનો ઉદય થશે. ભારતમાં સનાતન ધર્મનો અંત લાવવા માટે એક હજાર વર્ષ સુધી સતત પ્રયાસો થયા, પરંતુ તેઓ સફળ ના થયા. પરંતુ આપણે અને સનાતન ધર્મ હજુ પણ ત્યાં જ છીએ. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના દરેક પ્રકારના વ્યક્તિની દુષ્ટ વૃત્તિનો અંત આવે છે. જ્યારે તે ભારત આવે છે, ત્યારે તે કાં તો સાજો થઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે.

ભાગવતે કહ્યું કે જે કહેવાતા કેટલાક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમનો પણ તેમાં સહયોગ છે. જો તેઓએ વિરોધ ના કર્યો હોત તો હિંદુ જાગ્યા ના હોત. આ પ્રસંગે મહામંડલેશ્વર સ્વામી ગિરધર, સ્વામી વિશોકાનંદ ભારતી, સ્વામી વિવેકાનંદ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહાનિર્વાણી અખાડાના સચિવ રવિન્દ્રપુરી, મહામંડલેશ્વર હરિચેતાનંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ

Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત

આ પણ વાંચોઃ

વડાપ્રધાન મોદી આવતી કાલે ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરશે

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">