AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત

આગામી તહેવારોમાં કોઈ તણાવ ન થાય તે માટે મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં 38 હજાર હોમગાર્ડ સહિત 100 SRPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ટીમને એલર્ટ કરવામાં આવી છે.

Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત
Maharashtra Police Alert (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:35 AM
Share

રામનવમીના (Ramnavmi) દિવસે દેશના 8 રાજ્યોમાં કોમી તંગદિલી સર્જાય તેવી સ્થિતિ આગામી તહેવારો (Maharashtra Festival Alert) પર ન બને તે માટે મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે. આજથી આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, હનુમાન જયંતિ, ઈદ અને ઈસ્ટર જેવા અનેક તહેવારો આવવાના છે. તેને જોતા મહારાષ્ટ્ર ડીજીની ઓફિસમાંથી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના 2 લાખ પોલીસકર્મીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ આદેશ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) હાઈ એલર્ટ પર છે.

આગામી તહેવારોમાં કોઈ તણાવ ન થાય તે માટે મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં 38 હજાર હોમગાર્ડ સહિત 100 SRPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ટીમને એલર્ટ કરવામાં આવી છે. લોકોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પોલીસની પરવાનગીથી જ કરશે. પોલીસની પરવાનગી લીધા વિના કાર્યક્રમ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાગપુર શહેરમાં પણ એલર્ટ

છેલ્લા 4 દિવસમાં પાંચ મોટી ઘટનાઓ બાદ નાગપુર શહેર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુરુવારે આંબેડકર જયંતિ નિમિત્તે 6,000 હજાર પોલીસ, હોમગાર્ડ અને SRP જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

રામ નવમી પર 8 રાજ્યોમાં હિંસા

રામ નવમી પર દેશના ઘણા રાજ્યોમાં હિંસા, પથ્થરમારો અને આગજની જેવી ઘટનાઓ બની છે. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ગોવા, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, કર્ણાટક અને છત્તીસગઢના અલગ-અલગ વિસ્તારોમાં સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો હતો. આ ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવી દઈએ કે દેશના ચાર રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

માનવાધિકારને લગતા પ્રશ્ને વિદેશ મંત્રી જયશંકરનો જડબાતોડ જવાબ, કહ્યું- અમેરિકામાં માનવાધિકારના હનનથી ભારત પણ ચિંતિત

આ પણ વાંચોઃ

Ranbir Alia Wedding Live Updates : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાશે, પરિવાર અને કેટલાક નજીકના મિત્રો લગ્નમાં સામેલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">