AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Govt Cabinet Meeting: પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી, મિશન 2024ના સમીકરણોની કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે દિલ્હીમાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી, તેમણે કહ્યું છે કે મંત્રીઓ સાથેની તેમની બેઠક ઘણી ફળદાયી રહી છે.

Modi Govt Cabinet Meeting: પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી, મિશન 2024ના સમીકરણોની કરી ચર્ચા
Modi Govt Cabinet Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 10:52 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પીએમ મોદીએ કેબિનેટ સાથે આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત મીટિંગ હોલમાં કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તમામ મંત્રીઓ સાથે ઘણા વિષયો પર ચર્ચા કરી. આ બેઠક બાદ પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે, કાઉન્સિલ મિનિસ્ટર સાથેની તેમની મુલાકાત ઘણી ફળદાયી રહી છે. પીએમ મોદીએ લખ્યું કે આ દરમિયાન નીતિ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

પીએમ મોદીએ આ મીટિંગની કેટલીક તસવીરો પણ પોતાના હેન્ડલથી શેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક દરમિયાન ઘણા મંત્રાલયો વતી તેમના કામો અને યોજનાઓ પર એક પછી એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ તમામ પ્રેઝન્ટેશન દરમિયાન પીએમ મોદીએ તેમના સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. સૂત્રોને ટાંકીને પીટીઆઈએ લખ્યું છે કે, આ બેઠકમાં 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદીની કેબિનેટમાં ફેરબદલની અટકળો ચાલી રહી હતી, આ દરમિયાન આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. છેલ્લી વખત 2021માં પીએમ મોદીની કેબિનેટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ઘણા મંત્રીઓની જવાબદારીઓ બદલવામાં આવી હતી અને કેટલાકને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. છેલ્લે કરાયેલ કેબિનેટ વિસ્તરણમાં, પીએમ મોદીએ તેમના મંત્રીમંડળમાં 36 નવા લોકોને સ્થાન આપ્યું હતું. સાથે જ 12 મંત્રીઓને મંત્રીમંડળમાંથી કાઢીને અન્ય જવાબદારી આપવામાં આવી હતી.

ભાજપ હાલમાં 2024ની લોકસભા ચૂંટણી પર ઘણું ફોકસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેન્દ્રમાં હાજર મોદી સરકાર તમામ પ્રકારના સમીકરણો સંભાળવા માટે કેબિનેટનું વિસ્તરણ અથવા ફેરફાર કરી શકે છે અને કેટલાક પ્રાદેશિક નેતાઓને કેબિનેટમાં તક આપી શકે છે. એવો અંદાજ છે કે સરકાર અને સંગઠન વચ્ચેના સમીકરણને સંતુલિત કરવા માટે, સંગઠનના કેટલાક લોકોને મંત્રી પદ આપવામાં આવી શકે છે, જ્યારે કેટલાક કેબિનેટ મંત્રીઓને સંગઠનની જવાબદારી આપવામાં આવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">