AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમને, કોંગ્રેસના આંકડા વિશ્લેષકે વખાણીને કહી આ વાત, જાણો

નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલ શનિવારે સરકારી કર્મચારીઓ માટે મંજૂર કરેલ યુનિફાઇડ પેન્શન સ્કીમને કોંગ્રેસના નેતાઓ વખોડી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસના ડેટા એનાલિસ્ટે, યુનિફાઇડ પેન્શન સ્કીમને આવકારીને મોદી સરકારનું આ પગલું સમજદારીભર્યું અને આવકારદાયક ગણાવ્યું છે.

મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમને, કોંગ્રેસના આંકડા વિશ્લેષકે વખાણીને કહી આ વાત, જાણો
Praveen Chakraborty, Congress Statistics Analyst
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2024 | 7:58 PM
Share

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયને અનેક સંગઠનો અને કેન્દ્રીય કર્મચારીઓએ આવકાર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ યુનિફાઇડ પેન્શન સ્કીમને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તે પહેલા જેવું જ હોવું જોઈએ. નિવૃત્ત કર્મચારીઓને તેમના પગારના આધારે પેન્શન મળવું જોઈએ. સરકારે 50 ટકા નહીં પરંતુ 100 ટકા પેન્શન આપવું જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને પ્રોફેશનલ્સ કોંગ્રેસ અને ડેટા એનાલિટિક્સના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ વખાણ કરતા કહ્યું કે, સરકારનું આ પગલું આવકારદાયક અને સમજદારીભર્યું છે.

શશિ થરૂર પછી ઓલ ઈન્ડિયા બિઝનેસ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર પ્રવીણ ચક્રવર્તીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, દેશમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન મૂળભૂત રીતે બહુમતી ગરીબો પર એક ટેક્સ છે. જેની ચૂકવણી ઉચ્ચવર્ગના લઘુમતીઓએ કરવી પડતી હોય છે. તેથી, 2013 માં, OPS ને NPS માં સુધારો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ NPS એ નિવૃત્ત પરિવારો માટે લઘુત્તમ રકમની ખાતરી આપી ન હતી.

યુપીએસ સ્કીમ આ રીતે સમજાવી

પ્રવીણ ચક્રવર્તીએ યુપીએસને સમજાવતા, લખ્યું કે હવે આ યોજનામાં એનએસપી અને લઘુત્તમ ગેરંટી બંને આપવામાં આવી રહી છે. તેથી સરકારનું આ પગલું સમજદારીભર્યું અને આવકારદાયક છે. એક તરફ કોંગ્રેસના અનેક નેતાઓ સરકારની આ નવી પેન્શન યોજના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે પ્રવીણ ચક્રવર્તીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. પ્રવીણ ચક્રવર્તીને રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પ્રવીણ ચક્રવર્તીએ ડેટા એનાલિટિક્સ વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા છે.

કોણ છે પ્રવીણ ચક્રવર્તી?

પ્રવીણ ચક્રવર્તીએ 2024ની લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસના પ્રદર્શનમાં મોટી ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ પાર્ટીને આધુનિક બનાવવા માટે તેમને પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે કોંગ્રેસના શક્તિ પ્રોજેક્ટ પાછળ તેમનું દિમાગ કામ કરે છે. તો બીજી તરફ પ્રવીણ ચક્રવર્તીએ ન્યાય યોજનાનો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો જે કોંગ્રેસ માટે લાઇફલાઇન તરીકે કામ કરે છે. રાજકારણમાં જોડાતા પહેલા, તેઓ એક થિંક ટેન્કમાં રોકાણ બેંકર અને રોકાણકાર હતા.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">