મેરઠ: ASIને મળ્યું 2,000 વર્ષ જૂનું મૌર્ય ઈંટનું પ્લેટફોર્મ, 42 સેમી લાંબી હતી ઈંટો
યુપીમાં એક જૂના મકાનની ખોદકામ દરમિયાન ઈંટોનો ચબુતરો મળી આવ્યો, જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે આ બાબત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે પહોંચી ત્યારે સામે આવ્યું કે આ મૌર્ય કાળની ઇંટોથી બનેલો એક ચબુતરો છે.

વર્ષોથી મેરઠ (Meerut) શહેર વચ્ચે અવશેષો તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. પ્રથમ નજરમાં તેના વિશે કંઈ વિશિષ્ટ નહોતું. હવે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ (એએસઆઈ) મેરઠ સર્કલ ગયા વર્ષે જ બનાવવામાં આવ્યા બાદ અવશેષો મૌર્ય કાળના ઈંટના પ્લેટફોર્મ તરીકે ઓળખાયા છે, જે 2,000 વર્ષથી વધુ જૂના છે.
યુપીના મેરઠ શહેરમાં પાવર હાઉસ નજીક એક જૂના મકાનની ખોદકામ દરમિયાન ઈંટોથી બનેલો એક ચબુતરો મળ્યો છે, જે મૌર્ય કાળના આસ પાસનો છે. બચેલા ચબુતરાની લંબાઈ 29 મીટર, પહોળાઈ 30 મીટર અને ઉંચાઈ લગભગ 2 મીટરની આસપાસ છે.
તેમાં જે ઈંટ લાગી છે તે 42 સેમી લાંબી, 26 સેમી પહોળી અને 8 સેમી જાડી છે, જે મૌર્ય કાળના સમ્રાટ અશોકની આસપાસની છે. સમ્રાટ અશોકનું શાસન ઈ.સ પૂર્વ 269થી 232 ઈ.સ પૂર્વ સુધી રહ્યો છે.

હકીકતમાં મેરઠના ધમધમતા શહેરની વચ્ચે વર્ષોથી અવશેષ પર કોઈનું ધ્યાન ગયું ન હતું, જોકે પ્રથમ નજરમાં તેમાં કંઈ ખાસ નહોતું, તેની આસપાસના બાંધકામને કારણે તેનો મોટો ભાગ હવે રહ્યો નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું કહેવું છે કે અવશેષો મૌર્ય કાળના એક ઈંટના પ્લેટફોર્મ તરીકે ઓળખાયા છે, જે 2,000 વર્ષથી વધુ જૂનો છે. માળખાની લંબાઈ 29 મીટર, પહોળાઈ 30 મીટર અને ઉંચાઈ 2 મીટર ચબુતરાના રૂપમાં છે.
મેરઠ સર્કલના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી બ્રજસુંદર ગડનાયકે જણાવ્યું હતું કે ચબુતરામાં જે ઈંટ મળી છે તે 42cm × 26cm × 8cm સાઈઝની છે. તે કહે છે કે અહીં ચિહ્નિત કર્યા પછી વધુ ખોદકામ પણ કરવામાં આવશે અને કેટલીક વધુ વસ્તુઓ મળવાની સંભાવના પણ પૂરી છે.

તેઓ કહે છે કે આ ચબુતરામાં મળેલી ઈંટનું કદ માત્ર અશોક સમ્રાટના મૌર્ય કાળની આસપાસની છે. જોકે, તેમનું કહેવું છે કે આમાં કામ ચાલી રહ્યું છે અને આમાં વધુ કંઈ કહેવું વહેલું છે.
આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા
આ પણ વાંચો :- ‘ઝલક દિખલા જા’ શો હોસ્ટ કરવા ગયો હતો Kapil Sharma, વજન ઉતારવાની મળી ગઇ સલાહ અને આ રીતે શરૂ થયો The Kapil Sharma Show
