AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : નક્સલીઓને હવે ડર જ નથી ! ભાજપના નેતાના ઘરમાં ઘૂસીને ગોળી ધરબી દીધી

નક્સલીઓએ ઘરમાં ઘૂસીને બીજેપી નેતાના માથામાં ગોળી મારી હતી. ઘટના સમયે તે પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Big News : નક્સલીઓને હવે ડર જ નથી ! ભાજપના નેતાના ઘરમાં ઘૂસીને ગોળી ધરબી દીધી
BJP Leader Murder in Chhattisgarh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 8:03 AM
Share

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે.આપને જણાવી દઈએ કે, નક્સલીઓએ કરેલા હુમલા બાદ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સાગર સાહુને ગંભીર હાલતમાં છોટે ડોંગરથી નારાયણપુર જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી દીધી હતી. ઘટના સમયે તે પોતાના ઘરમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. આ ઘટના છોટેડોંગર પોલીસ સ્ટેશનમાં બની હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાજપ નેતાનું સારવાર દરમિયાન મોત

પૂર્વ મુખ્યપ્રધાન રમણ સિંહે બીજેપી નેતાની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘નારાયણપુર બીજેપી જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી સાગર સાહુ જીની નક્સલવાદીઓ દ્વારા હત્યા એ સમગ્ર ભાજપ પર હુમલો છે. સાગર સાહુ જીનું બલિદાન વ્યર્થ નહી જાય, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃત આત્માને શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ આપે. તો વધુમાં કહ્યું કે, છેલ્લા 1 મહિનામાં બસ્તર પ્રદેશના 3 બીજેપી નેતાઓની ક્યા કાવતરા હેઠળ હત્યા કરવામાં આવી રહી છે, બસ્તરને સમર્પિત આ નેતાઓના લોહીનું એક-એક ટીપું, જે છત્તીસગઢ મહાતરીના શિખર પર પડ્યું છે.

આ પહેલા પણ નકસલીઓએ અન્ય ભાજપ નેતાની કરી હતી હત્યા

પાંચ દિવસ પહેલા બીજાપુરમાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. ભાજપના ઉસુર મંડળના પ્રમુખ નીલકંઠ કીકેમની નક્સલવાદીઓએ તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. નક્સલવાદીઓએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે ભાજપના નેતા તેના કઈ સબંધીના લગ્નની તૈયારીઓ જોવા ગામમાં પહોંચ્યા હતા. પરંતુ નક્સલવાદીઓ પહેલાથી જ ત્યાં ઘુસી ગયા હતા.તેઓએ કુહાડી અને છરી વડે બીજેપી નેતા પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હવે નક્સલીઓએ ભાજપના નેતા સાગર સાહુની ગોળી મારીને હત્યા કરી નાખી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">