AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Sisodia Arrest: જામીન અરજી મુદ્દે મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર, કહ્યું ‘નીચલી કોર્ટમાં જાવ’

CJIએ કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાંથી જામીન અને બીજી રાહત માંગી રહ્યા છો. તમને અર્ણબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસનો હવાલો આપી દીધો પણ તે કેસ આનાથી બિલકુલ અલગ હતા.

Manish Sisodia Arrest: જામીન અરજી મુદ્દે મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર, કહ્યું 'નીચલી કોર્ટમાં જાવ'
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 5:35 PM
Share

દિલ્હીના ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આબકારી નીતિ મામલે જામીન માટે આજે (28 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં ગયા. તેમની અરજી પર સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે સુનાવણી કરી. તમને જણાવી દઈએ કે આપ નેતા મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે.

CJIએ કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાંથી જામીન અને બીજી રાહત માંગી રહ્યા છો. તમને અર્ણબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસનો હવાલો આપી દીધો પણ તે કેસ આનાથી બિલકુલ અલગ હતા. તમારે નીચલી કોર્ટમાંથી જામીન લેવા જોઈએ, એફઆઈઆર રદ્દ કરાવવા માટે હાઈકોર્ટ જવું જોઈએ.

આ પણ વાંચો: સંબંધમાં થશે સુધારો? જી20 બેઠક માટે ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન કિન ગાંગ

સુપ્રીમ કોર્ટ સીધી અરજી ના સાંભળી શકે

મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું કે મને માત્ર 3 મિનિટ બોલવા દો. મને (સિસોદિયાને) માત્ર બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. ધરપકડ પહેલા અરણેશ કુમાર કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન થયું નથી. ના મારી પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે, ના મારી પર ભાગી જવાની શંકા હતી. સીજેઆઈએ કહ્યું કે આ વાત સાચી હોય શકે છે પણ સુપ્રીમ કોર્ટ તેની સીધી સુનાવણી કરી શકે નહીં.

જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે કેસ દિલ્હીનો છે. તેનો મતલબ એ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવી જાવ. સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ મૌલિક અધિકારોની રક્ષક છે. સીજેઆઈએ પૂછ્યુ કે કેસ કઈ કલમમાં છે. સિંઘવીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ છે. સીજેઆઈએ કહ્યું કે તમે જે પણ કહી રહ્યા છો, તે હાઈકોર્ટને કહો. અમે નહીં સાંભળીએ.

મનીષ સિસોદિયા હાલમાં CBIની કસ્ટડીમાં

આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચારને લઈ ધરપકડ કરવામાં આવેલા મનીષ સિસોદિયાને દિલ્હીની એક વિશેષ કોર્ટે સોમવારે 5 દિવસ માટે સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે જરૂરી છે કે તેમને પૂછેલા સવાલના યોગ્ય અને સાચા જવાબ મળે અને આ કોર્ટના મતે આરોપીની કસ્ટોડીયલ પૂછપરછ દ્વારા જ શક્ય છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">