AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર

CBI અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

Breaking News: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:46 PM
Share

વર્ષ 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હીના ધરપકડ કરાયેલા નાયબ મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે એક્સાઈઝ પોલિસી મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી.

પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે આ નિર્ણય વ્યક્તિગત રીતે લીધો હતો. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તેને પૂછપરછ માટે સિસોદિયાની કસ્ટડીની જરૂર છે. સિસોદિયાના વકીલે તેમને કસ્ટડી આપવાની CBIની વિનંતીનો વિરોધ કર્યો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના અસીલ સામે કોઈ પુરાવા નથી. સીબીઆઈ અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

અરવિંદ કેજરીવાલના કેન્દ્ર સરકાર પર પ્રહાર

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે CBIના મોટાભાગના અધિકારીઓ મનીષની ધરપકડના પક્ષમાં નથી. પરંતુ રાજકીય અધિકારીઓના દબાણ સામે તેઓ કંઈ કરી શક્યા નહીં. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાની ધરપકડ માત્ર રાજકીય કારણોસર કરવામાં આવી છે. સીબીઆઈની તપાસમાં તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી. સીએમ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સીબીઆઈ અધિકારીઓ મનીષની ધરપકડની વિરુદ્ધ હતા. તેઓ બધા તેમનો ખૂબ આદર કરે છે અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ તેમની ધરપકડ કરવા માટેનું રાજકીય દબાણ એટલું મોટું હતું કે તેમને તેમના રાજકીય આકાઓની આજ્ઞા માનવી પડી હતી.

કેજરીવાલે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને તોડવા અને નબળી પાડવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. પરંતુ દર વખતે તેમનો પક્ષ વધુ તાકાત સાથે આગળ આવે છે. આ વખતે ભાજપે સીબીઆઈ દ્વારા ઘેરાબંધી કરીને મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. પરંતુ આ તેની મોટી ભૂલ હોઈ શકે છે.

ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
g clip-path="url(#clip0_868_265)">