મમતા બેનર્જી G 20 ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમાં લેશે ભાગ, 16 વર્ષ પહેલાની ભૂખ હડતાલને યાદ કરી

ભારતની રાજધાની દિલ્લીમા યોજાનાર G-20ની બેઠકમા તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બર સોમવારના રોજ બેઠકમા ભાગ લેશે. આ બેઠક પૂર્ણ કર્યા પછી તે 6 ડિસેમ્બરે રાજસ્થાનના પુષ્કરની સાથે સાથે અજમેર શરીફ ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવશે.

મમતા બેનર્જી G 20 ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમાં લેશે ભાગ, 16 વર્ષ પહેલાની ભૂખ હડતાલને યાદ કરી
Mamata Banerjee to attend G-20, remembers hunger strike 16 years ago
Follow Us:
Disha Thakar
| Edited By: | Updated on: Dec 05, 2022 | 12:40 PM

ભારતની રાજધાની દિલ્લીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં G 20ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમા તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બર સોમવારના રોજ સાંજે બેઠકમા ભાગ લેશે. આ બેઠક પૂર્ણ કર્યા પછી તે 6 ડિસેમ્બરે રાજસ્થાનના પુષ્કરની સાથે સાથે અજમેર શરીફ ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવશે. 7 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્લીમા સંસદીય સભ્યો સાથે બેઠક કરીને શિયાળુ સત્રની નવી રણનીતિ બનાવશે. મમતા બેનર્જી 16 વર્ષ પહેલા કરેલ સિંગૂર ભૂખ હડતાલને યાદ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ 4 ડિસેમ્બરે રવિવારે દાવો કરતા કહ્યુ કે જો આજે પણ લોકોના અધિકારો પર ખતરો ઉભો થશે તો તે ચૂપ નહી રહે. મમતા બેનર્જી એ રવિવારે ટ્વિટ કરતા જણાવ્યુ કે તેમને 16 વર્ષ પહેલા આજના દિવસે હૂગલીના સિંગૂર અને દેશના અન્ય ખેડૂતો માટે 26 દિવસની ભૂખ હડતાલ કરી હતી. 2006મા હૂગલીના સિંગૂરમા નૈનો કાર ફૈકટરી માટે ટાટા મોટર્સને રાષ્ટ્રીય રાજમાર્ગ 2 પર 997.11 એકર જમીન કંપનીને આપવામા આવી હતી.

મમતાએ કહ્યુ સિંગૂર માંથી જવા ટાટાને માકપાએ મજબૂર કર્યા

તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ મમતાએ કહ્યુ કે ખડૂતોને તેમની જમીન પરત કરવા માટે તેમને 4 ડિસેમ્બરથી ભૂખ હડતાલ શરુ કરી હતી. દેશના પ્રધાન મંત્રી મનમોહન સિંહએ મોકલેલ પત્ર મળ્યા પછી તેમને 26 ડિસેમ્બરે અનશનનો અંત કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ આંદોલન ચાલુ જ હતુ. 2008મા ટાટા મોટર્સએ સિંગૂરમાથી જવુ પડ્યુ હતું. મમતાએ તેના માટે માકપા પાર્ટીને જવાબદાર ગણાવે છે.

માકપા અને ભાજપના મમતા પર આક્ષેપ

મમતાના નિવેદન પછી તેના પર આક્ષેપ કરતા ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ દાવો કરતા જણાવ્યુ કે આંદોલન કરીને તેમને રાજ્યની અર્થવ્યવસ્થાને નુકશાન થયુ છે. સિંગૂરમા ટાટા કંપનીએ પ્રોજેક્ટની સ્થાપના કરી હોત તો રાજયમા બેરોજગારી ઘટી હોત અને યુવાનોને રોજગારી મળી હોત. સિંગૂરમા ત્યારબાદ કોઈ પણ અન્ય કંપનીએ રોકાણ કર્યુ નથી. માકપાના નેતાએ આક્ષેપ કરતા કહ્યુ કે મમતા ઘણી મુશ્કેલીથી સાચુ બોલે છે. રાજયમા બેરોજગારીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જો દેશની મોટી કંપનીએ રાજયમા રોકાણ કર્યુ હોત તો આજે પશ્ચિમ બંગાળ રાજયની રુપરેખા અલગ હોત અને પશ્ચિમ બંગાળની અર્થતંત્રને ફાયદાકારક સાબિત થયુ હોત.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">