Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કોંગ્રેસની શાળામાં ભણીને મોદી દેશના વડાપ્રધાન બન્યા’, ગૃહમાં PM મોદીના સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસે ખોલેલી શાળાઓમાં મોદી અને શાહ ભણીને નેતા, ધારાસભ્ય, મંત્રી અને વડાપ્રધાન બન્યા.

'કોંગ્રેસની શાળામાં ભણીને મોદી દેશના વડાપ્રધાન બન્યા', ગૃહમાં PM મોદીના સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ
Mallikarjun Kharge
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 8:09 PM

છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? કોંગ્રેસે ખોલેલી શાળાઓમાં મોદી અને શાહ ભણીને નેતા, ધારાસભ્ય, મંત્રી અને વડાપ્રધાન બન્યા. મોદીને દેશના નંબર વન નેતા કહેવામાં આવે છે, પરંતુ તેઓ સંસદમાં મણિપુર વિશે કશું બોલતા નથી.

છત્તીસગઢના લોકોએ મને તાકાત આપી

જાંજગીર ચંપામાં રવિવારે આયોજિત ‘ભરોસે કા સંમેલન’ માં મલ્લિકાર્જુન ખડગે પ્રથમ વખત છત્તીસગઢ પહોંચ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, અધ્યક્ષ બન્યા બાદ તેમને હિમાચલ અને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી મળી હતી, જેમાં જનતાએ બહુમતી આપી હતી. તેમાં છત્તીસગઢના લોકોએ મને તાકાત આપી છે. હું 11 ઓગસ્ટે છત્તીસગઢ આવવાનો હતો, પરંતુ સંસદમાં એક મોટી ઘટનાની ચર્ચા થવાની હતી, તેથી આજે આવ્યો છું.

મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા છે, 500થી વધુ લોકો ઘાયલ છે. 5000 થી વધુ ઘર બળી ગયા છે. રાહુલ ગાંધી ત્યાં ગયા હતા. બાળકો, મહિલાઓ અને લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ત્યાંની પરિસ્થિતિ મીડિયામાં જાહેર કરી.

અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં
IPL ક્રિકેટર રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો

શું મોદી લંડનમાં અભ્યાસ કરીને વડાપ્રધાન બન્યા- મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેવા સવાલ પર ખડગેએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, મોદી અને શાહ જ્યાં પણ ભણ્યા હતા, તેઓ અમારી શાળામાં જ ભણ્યા હતા. શું તે લંડન ભણવા ગયા હતા? અને તેઓ અમને પૂછે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું. તમને ભણાવ્યા, મંત્રી-મુખ્યમંત્રી બનાવ્યા અને હવે વડાપ્રધાન. એટલું નાટક કરે છે કે, નાટક કંપનીમાં જોડાવાને બદલે કદાચ સંસદમાં આવી ગયા.

આ પણ વાંચો : West Bengal Violence: બંગાળમાં નથી અટકી રહી હિંસા, TMC નેતાની હત્યા બાદ હવે ડ્રમમાંથી મળ્યા 65 દેશી બોમ્બ

ભાજપ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, અમે માત્ર રામ ભરોસે નથી, પરંતુ તેઓ માત્ર રામ ભરોસે છે. 15 લાખ તમારા ખાતામાં આવશે, દર વર્ષે 2 કરોડ નોકરીઓ મળશે, શું દેશના વડાપ્રધાન જૂઠું બોલે છે? જે લોકોએ ભૂપેશ કેબિનેટ પર ભરોસો રાખ્યો હતો, તેમણે તે કરીને બતાવ્યું. નેહરુ, ગાંધી અને અન્ય તમામ નેતાઓએ દેશ માટે જે કર્યું તે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. ભાજપને જીતનો વિશ્વાસ દેખાતો નથી, તેથી જ તેઓ હવે ED, IT, CBI થી ડરાવવાનું કામ કરી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">