મહારાષ્ટ્રમાં આખરે કોની સરકાર બનશે? આ સવાલ હવે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. કારણ કે આજે NCPના અધ્યક્ષ શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. તેમની બેઠકમાં મહારાષ્ટ્રની હાલની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થશે. રાજ્યમાં શિવસેના અને ભાજપ વચ્ચેના તણાવથી પવાર અચાનક કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે.
શિવસેના અને NCP વચ્ચે રંધાઈ રહેલી ખીચડીથી ભાજપ પહેલીવાર ચિંતિત છે. એવી ચર્ચા છે કે શિવસેનાએ NCP સમક્ષ સરકાર બનાવવાની અને નેતૃત્વ કરવાની પણ દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત પર વિચાર કરતા પહેલા NCP ઈચ્છે છે કે શિવસેના જાહેરમાં ભાજપ સાથેના સંબંધો પર પૂર્ણ વિરામની જાહેરાત કરે. શિવસેનાના આ પ્રસ્તાવ બાદ NCPએ આ સમગ્ર મામલે કોંગ્રેસ સાથે વાત કરવાનું મન બનાવી લીધું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો