Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”

પાકિસ્તાનનું નામ લીધા વિના રાજનાથસિંહે કહ્યું કે હું તમને ઉરી અને પુલવામાની ઘટના યાદ કરાવવા માગુ છું. એક આપણો પાડોશી દેશ છે, જેના કારણે પુલવામામાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે પછી આપણા વડાપ્રધાને નિર્ણય લીધો અને અમે તે દેશની ધરતી પર જઈને આતંકવાદીઓને ખતમ કર્યા.

Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ''એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ''
Defense Minister Rajnath Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:24 PM

રક્ષાપ્રધાન (Minister of Defense) રાજનાથ સિંહે (Rajnath Singh) રવિવારે લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલ (brahmos missiles) મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમે બ્રહ્મોસ બનાવવા માગીએ છીએ, જેથી દુનિયાનો કોઈ દેશ ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત ન કરી શકે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ડિફેન્સ ટેક્નોલોજી એન્ડ ટેસ્ટિંગ સેન્ટર અને બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ સેન્ટરના શિલાન્યાસ બાદ સભામાં સંબોધન કર્યુ, “અમે બ્રહ્મોસ મિસાઈલ (brahmos missiles) બનાવી રહ્યા છીએ, અન્ય સંરક્ષણ સાધનો (Defense equipment) અને હથિયારો બનાવી રહ્યા છીએ તો વિશ્વના કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે નથી બનાવી રહ્યા”

રાજનાથસિંહે કહ્યું “અમે ભારતની ધરતી પર બ્રહ્મોસ બનાવવા માગીએ છીએ, જેથી કરીને ભારતમાં ઓછામાં ઓછી એટલી શક્તિ હોય કે વિશ્વનો કોઈ દેશ ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત પણ ન કરે.” પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે હું તમને ઉરી અને પુલવામાની ઘટનાઓ યાદ કરાવવા માગુ છું. એક આપણો પાડોશી દેશ છે, જેના કારણે પુલવામામાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે પછી આપણા વડાપ્રધાને નિર્ણય લીધો અને અમે તે દેશની ધરતી પર ગયા અને આતંકવાદીઓને ખતમ કર્યા.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

‘જો કોઈ ખરાબ નજર નાખે તો અમે સરહદ પારથી કાર્યવાહી કરી શકીએ છીએ’

રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું હતું કે અમે હવાઈ હુમલામાં પણ સફળ થયા હતા. અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે જો કોઈ અમારી તરફ ખરાબ નજરથી જુએ છે તો અમે સરહદ પાર કરીને કાર્યવાહી કરી શકીએ છીએ, આ ભારતની તાકાત છે. સંરક્ષણ પ્રધાને સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા કહ્યું “આજે અહીં બંને એકમોનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આપણા દેશની સુરક્ષાના દૃષ્ટિકોણથી આ મહત્વપૂર્ણ છે, સાથે જ તે ઉત્તર પ્રદેશને સંરક્ષણ ઉત્પાદન એકમ ક્ષેત્રમાં વિશેષ સ્થાન બનાવવામાં સફળ થશે.

તેમણે કહ્યું “આ લોકોને અહીં રોજગાર પણ મળશે અને ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં એક નવો અધ્યાય ઉમેરાશે.” સંરક્ષણ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપતાં રાજનાથસિંહે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે “મેં કલ્પના નહોતી કરી કે છ, આઠ, દસ મહિનામાં પણ જમીન સંપાદન શક્ય બનશે, પરંતુ મુખ્યમંત્રીએ દોઢ મહિનામાં આ પ્રોજેક્ટ માટે બે ફંડ આપ્યા. 200 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે.”

‘બ્રહ્મોસ મિસાઈલ હવે લખનઉમાં જ બનશે’

તેમણે માફિયાઓ પર કાબુ મેળવવા માટે યોગીના વખાણ કર્યા અને કહ્યું કે “યોગીજી દરેક કામમાં ઉદારતા બતાવે છે, પરંતુ એક કામમાં કંગાળ છે, તેઓ માફિયાના મામલામાં કોઈ છૂટ આપતા નથી. બધે બુલડોઝર ચાલી રહ્યા છે, જેના પરિણામે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરવા માટે ઉત્તર પ્રદેશ આવી રહ્યા છે. તેમણે પ્રખ્યાત મંદિરોના જીર્ણોદ્ધાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

135 કરોડ લોકોની સુરક્ષામાં કોઈ નુકસાન નહીં થવા દઈએ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં કહ્યું કે હવે બ્રહ્મોસ મિસાઈલ લખનઉમાં જ બનાવવામાં આવશે અને અહીં નવા સંશોધન કરવામાં આવશે અને તેનાથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તેણે હંમેશા વિશ્વને મિત્રતા અને શાંતિનો સંદેશ આપ્યો છે, પરંતુ આપણો મિત્રતા અને કરુણાનો સંદેશ માનવતાના કલ્યાણને ધ્યાનમાં રાખીને છે.

તેનો મતલબ એ નથી કે આપણે આપણા દેશના 135 કરોડ લોકોની સુરક્ષાને કોઈપણ પ્રકારનું નુકસાન થવા દઈએ. યોગીએ કહ્યું કે છેલ્લા સાડા સાત વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશનને સૌએ જોયા જ હશે, દરેક વ્યક્તિ માને છે કે આ નવું ભારત છે, છેડતા નથી, પરંતુ જો કોઈ ચીડવે છે તો તેને છોડતા પણ નથી”

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા બાદ બરફથી ઢંકાયા પર્વતો, આ રાજ્યોમાં 29 ડિસેમ્બર સુધી વરસાદની આગાહિ

આ પણ વાંચોઃ Vijay Hazare Trophy: હિમાચલ પ્રદેશ પહેલીવાર બન્યું ચેમ્પિયન, માત્ર 8 મેચ રમનાર બેટ્સમેને તમિલનાડુ પાસેથી ટ્રોફી છીનવી લીધી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">