AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત

ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 4,30,29,839 થઈ ગઈ છે.

Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત
Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:28 AM
Share

ભારતમાં કોરોનાના કેસોમાં (Corona Cases in India) સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,29,839 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 12054 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 716 દિવસમાં સૌથી ઓછી છે. મંત્રાલયે કહ્યું છે કે સોમવારે 58 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક હવે 5,21,416 પર પહોંચી ગયો છે. અગાઉ સોમવારે કોરોના વાયરસના 913 નવા કેસ (Covid-19) નોંધાયા હતા, જે છેલ્લા 715 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 185.53 કરોડથી વધુ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે 15.70 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ ઉપલબ્ધ છે. નવા ડેટા અનુસાર, સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 466332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

18 એપ્રિલ 2020 પછી પ્રથમ વખત ભારતમાં કોવિડ-19ના 1,000થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 18 એપ્રિલ 2020ના રોજ 991 કેસ નોંધાયા હતા. મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દૈનિક દર 0.17 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક સંક્રમણ દર 0.22 ટકા નોંધાયો છે. કોવિડ-19ની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ 79.15 કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 4,66,332 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ અન્ય રોગોથી પિડીત

મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયની વેબસાઈટ આંકડા હાલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર 2020ના રોજ દેશમાં કોવિડ-19ના કેસ એક કરોડને વટાવી ગયા હતા. જ્યારે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ આંકડો 30 મિલિયનને વટાવી ગયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jammu Kashmir : 24 કલાકમાં 3 આતંકવાદીઓએ 7 લોકોને નિશાન બનાવ્યા, CRPF જવાન સહિત 3 લોકોના મોત

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">