AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત

ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 4,30,29,839 થઈ ગઈ છે.

Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત
Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:28 AM
Share

ભારતમાં કોરોનાના કેસોમાં (Corona Cases in India) સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,29,839 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 12054 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 716 દિવસમાં સૌથી ઓછી છે. મંત્રાલયે કહ્યું છે કે સોમવારે 58 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક હવે 5,21,416 પર પહોંચી ગયો છે. અગાઉ સોમવારે કોરોના વાયરસના 913 નવા કેસ (Covid-19) નોંધાયા હતા, જે છેલ્લા 715 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 185.53 કરોડથી વધુ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે 15.70 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ ઉપલબ્ધ છે. નવા ડેટા અનુસાર, સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 466332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

18 એપ્રિલ 2020 પછી પ્રથમ વખત ભારતમાં કોવિડ-19ના 1,000થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 18 એપ્રિલ 2020ના રોજ 991 કેસ નોંધાયા હતા. મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દૈનિક દર 0.17 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક સંક્રમણ દર 0.22 ટકા નોંધાયો છે. કોવિડ-19ની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ 79.15 કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 4,66,332 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ અન્ય રોગોથી પિડીત

મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયની વેબસાઈટ આંકડા હાલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર 2020ના રોજ દેશમાં કોવિડ-19ના કેસ એક કરોડને વટાવી ગયા હતા. જ્યારે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ આંકડો 30 મિલિયનને વટાવી ગયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jammu Kashmir : 24 કલાકમાં 3 આતંકવાદીઓએ 7 લોકોને નિશાન બનાવ્યા, CRPF જવાન સહિત 3 લોકોના મોત

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">