AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અઝાન દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું, ધાર્મિક વિવાદ વધુ વણસ્યો

દિલીપ વાલસે પાટીલ શિરુરમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા.બાદમાં તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યુ હતુ.

અઝાન દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું, ધાર્મિક વિવાદ વધુ વણસ્યો
maharashtra home minister dilip walse patil halts his speech Image Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:51 AM
Share

શનિવારે મુંબઈના (Mumbai)  દાદર શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં MNS ચીફ રાજ ઠાકરેએ  (Raj Thackeray) ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો રાજ્યની મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જે બાદ મુંબઈના ઘાટકોપરથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ થઈ હતી. ત્યારબાદ નાસિકમાં (Nasik) પણ તેનું પુનરાવર્તન થયું. બીજી તરફ પુણેમાં પણ ભદ્રકાલી મંદિરમાં પોલીસની સમજાવટથી MNS કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા.

હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે, તેને મફતમાં લઈ જાઓ :  મોહિત કંબોજ

આ દરમિયાન મહારાષ્ટ્રના(Maharashtra)  ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે (Dilip Walse Patil) ચેતવણીના સૂરમાં કહ્યું હતુ કે, જો સમાજમાં તણાવ વધારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના જવાબમાં, MNS પ્રવક્તાએ દિલીપ વાલ્સે પાટીલને કહ્યું કે તે પહેલા કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સંભાળવી તે શીખે…! MNS ધમકીઓથી ડરતા નથી. ધમકી આપતા પહેલા મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશનો અમલ કરો. આ મામલો વધુ વણસ્યો જ્યારે બીજેપી નેતા મોહિત કંબોજે જાહેરાત કરી હતી કે જેને હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે તેને મફતમાં લઈ જાય.

આ દરમિયાન, સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, સોમવારે દિલીપ વાલ્સે પાટીલ શિરુરમાં (Shirur) એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. પછી તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું. બાદમાં અઝાન સમાપ્ત થયા પછી, તેણે પોતાનું આગળનું ભાષણ શરૂ કર્યું.

તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?

NCP વતી, દિલીપ વાલ્સે પાટીલ એકલા નથી જે પોતાની રીતે રાજ ઠાકરેને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, એનસીપીના અન્ય એક નેતા અને શહેરી વિકાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ રાજ ઠાકરે પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું છે કે, કોરોનામાં રોજગાર છીનવાને કારણે જનતાના ખિસ્સા ખાલી છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, શાકભાજી, કેરોસીનની મોંઘવારીથી લોકો પરેશાન છે. તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, 100 કરોડની રિકવરી કેસમાં સીબીઆઈ કરવાની હતી પૂછપરછ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">