Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Violence: આશિષ મિશ્રાના જામીન રદ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Lakhimpur Kheri Violence: આશિષ મિશ્રાના જામીન રદ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
PC- ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 11:47 AM

લખીમપુર ખેરી હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં આરોપી આશિષ મિશ્રાના (Ashish Mishra) જામીનને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીઓને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આશિષ મિશ્રાના જામીન રદ (Bail canceled) કર્યા છે. સુપ્રીમ કોર્ટે જામીન રદ કરી આરોપીને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) લખીમપુર કેસમાં આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરી દીધા હતા. તેમજ આશિષને એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની ખેડૂતોની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજીને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે કેસની સુનાવણી હજુ શરૂ થવાની છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાઓની પ્રકૃતિ જેવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં. ખંડપીઠે એ હકીકતની કડક નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સૂચવ્યા મુજબ હાઈકોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી નથી.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

એક અઠવાડિયામાં કરવુ પડશે સરેન્ડર

વકીલે કરી હતી આ દલીલ

વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે અને પ્રશાંત ભૂષણ, ખેડૂતો તરફથી હાજર રહીને દલીલ કરી હતી કે હાઈકોર્ટે વ્યાપક ચાર્જશીટને ધ્યાનમાં લીધી નથી, પરંતુ FIR પર આધાર રાખ્યો છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ રજૂઆત કરી હતી કે આરોપી દેશની બહાર ગયો હોવાની શક્યતા નથી અને તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી.

પીડિતોના પરિવારજનોએ આપ્યો હતો પડકાર

હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અગાઉ, ખેડૂતો માટે હાજર રહેલા વકીલે 10 માર્ચે મુખ્ય સાક્ષી પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ આશિષ મિશ્રાને જામીન આપવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો: Maharashtra Loudspeaker Controversy: નાસિકમાં 3 મે સુધી લેવી પડશે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાની પરમિશન

આ પણ વાંચો: મોદી આજે ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે, વડાપ્રધાન આવે તે પહેલાં જ સેન્ટરનું નામ બદલી દેવાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">