AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Loudspeaker Controversy: નાસિકમાં 3 મે સુધી લેવી પડશે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાની પરમિશન

રાજ ઠાકરેએ રવિવારે ફરી એકવાર કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો નથી. હિંદુઓને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે જો 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ તૈયાર રહે.

Maharashtra Loudspeaker Controversy: નાસિકમાં 3 મે સુધી લેવી પડશે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાની પરમિશન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 12:40 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) લાઉડસ્પીકર પર પ્રતિબંધને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે નાસિક પોલીસ કમિશનરે 3 મે સુધી તમામ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી (Maharashtra Loudspeaker controversy) લેવાનો આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર જો ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાના હોય તો તેના માટે પોલીસની પરવાનગી લેવી પડશે. જો 3 મે સુધી પોલીસ પાસેથી પરવાનગી લેવામાં નહીં આવે તો પછી કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર લગાવવામાં આવશે તો પોલીસ તેના પર કડક કાર્યવાહી કરશે. હકીકતમાં 3 મે પછી MNSએ લાઉડસ્પીકર પર દિવસમાં 5 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી છે. નોંધપાત્ર રીતે 2 એપ્રિલે, મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં તેમના ભાષણમાં રાજ ઠાકરેએ (Raj Thackeray) ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટીના કાર્યકરો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે.

3 મે બાદ હિન્દુ તૈયાર રહે: રાજ ઠાકરે

રાજ ઠાકરેએ રવિવારે ફરી એકવાર કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો નથી. હિંદુઓને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે જો 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ તૈયાર રહે. તેમણે કહ્યું કે જો મુસ્લિમ સમાજના લોકો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર નહીં કરે તો અમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાળીશું. તેમણે કહ્યું કે લાઉડસ્પીકરના કારણે માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ મુસ્લિમ સમાજના લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે.

ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે પીછેહઠ નહીં કરે. તેમને જે કરવું હોય તે કરો. રાજ ઠાકરેએ સવાલ કર્યો હતો કે એવો કયો ધર્મ છે જે અન્ય ધર્મોને તકલીફ આપે છે. તેણે ગૃહ વિભાગને કહ્યું કે તે રમખાણો ઈચ્છતા નથી. આ સાથે તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે 3 મે સુધીમાં તમામ લાઉડસ્પીકર મસ્જિદમાંથી હટાવી લેવા જોઈએ, ત્યારબાદ તેમની તરફથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમને જણાવી દઈએ કે મસ્જિદોમાં દિવસમાં 5 વખત લાઉડસ્પીકર પર નમાઝ અને અઝાન કરવામાં આવે છે.

આ પણ વાંચો: મોદી આજે ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે, વડાપ્રધાન આવે તે પહેલાં જ સેન્ટરનું નામ બદલી દેવાયું

આ પણ વાંચો: Corona Update: દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, છેલ્લા 24 કલાકમાં 90 % કેસ વધ્યા, 214 દર્દીઓના મોત

Follow Us
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
g clip-path="url(#clip0_868_265)">