રાજ ઠાકરેએ રવિવારે ફરી એકવાર કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે કાયદાથી ધર્મ મોટો નથી. હિંદુઓને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે જો 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ તૈયાર રહે. તેમણે કહ્યું કે જો મુસ્લિમ સમાજના લોકો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર નહીં કરે તો અમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાળીશું. તેમણે કહ્યું કે લાઉડસ્પીકરના કારણે માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ મુસ્લિમ સમાજના લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે.
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે પીછેહઠ નહીં કરે. તેમને જે કરવું હોય તે કરો. રાજ ઠાકરેએ સવાલ કર્યો હતો કે એવો કયો ધર્મ છે જે અન્ય ધર્મોને તકલીફ આપે છે. તેણે ગૃહ વિભાગને કહ્યું કે તે રમખાણો ઈચ્છતા નથી. આ સાથે તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે 3 મે સુધીમાં તમામ લાઉડસ્પીકર મસ્જિદમાંથી હટાવી લેવા જોઈએ, ત્યારબાદ તેમની તરફથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમને જણાવી દઈએ કે મસ્જિદોમાં દિવસમાં 5 વખત લાઉડસ્પીકર પર નમાઝ અને અઝાન કરવામાં આવે છે.
આ પણ વાંચો: Corona Update: દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, છેલ્લા 24 કલાકમાં 90 % કેસ વધ્યા, 214 દર્દીઓના મોત