મોદી આજે ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે, વડાપ્રધાન આવે તે પહેલાં જ સેન્ટરનું નામ બદલી દેવાયું

રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતા વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 6:51 PM

વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ હવે તેમના ગુજરાત (Gujarat) પ્રવાસ પણ વધારી દીધા છે. વડાપ્રધાન મોદી આજે સાંજે સૌથી પહેલા ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જોકે વડાપ્રધાનની મુલાકાત અગાઉ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વિદ્યા સમીક્ષા કેન્દ્રના નામથી ઓળખાશે. મહત્વનું છે કે અગાઉ વિદ્યા કેન્દ્રનું નામ અંગ્રેજી ભાષામાં રાખવામાં આવ્યું હતું. જોકે હવે આ નામ બદલીને ગુજરાતી ભાષામાં રખાયું છે.

પીએમ મોદીના કાર્યક્રમ નજર કરીએ તો વડાપ્રધાન અંદાજે એક કલાક સુધી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ ડેસ્ક બોર્ડની કામગીરી, ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી જ શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હસ્તક છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા વિશ્વ બેન્ક પણ કરી ચૂકી છે.

મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતા વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે. આ ઉપરાંત ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rajkot: ધોરાજીના એક પરિવારે દીકરાના લગ્નમાં સોનાચાંદીની ભેટની જગ્યાએ એવી વસ્તુ આપી કે લોકો હસવું રોકી ન શક્યાં

આ પણ વાંચોઃ Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">