AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Violence: SITએ દાખલ કરી ચાર્જશીટ, આશિષ મિશ્રા સહિત 14 લોકોને હત્યા અને ષડયંત્રના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા

લખીમપુર ખીરી-તિકુનિયા કાંડ મામલે ચાર્જશીટમાં વીરેન્દ્ર શુક્લાનું નામ વધારવામાં આવ્યું છે. શુક્લા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના નજીકના છે.

Lakhimpur Kheri Violence: SITએ દાખલ કરી ચાર્જશીટ, આશિષ મિશ્રા સહિત 14 લોકોને હત્યા અને ષડયંત્રના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા
Ashish Mishra (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 2:10 PM
Share

લખીમપુર હિંસા મામલે (Lakhimpur Kheri Tikunia Case) SITએ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. 5000 પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) ઉર્ફ મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. SITએ CJM કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

આશીષ મિશ્રા સહિત 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરે આશીષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતોની વચ્ચે સંઘર્ષ દરમિયાન 8 લોકોના મોત થયા હતા. તપાસકર્તાએ આશિષ મિશ્રા સહિત અન્ય આરોપીઓને હત્યાના આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ મુજબ સુનિયોજિત કાવતરા હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ અને એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.

લખીમપુર ખીરી-તિકુનિયા કાંડ મામલે ચાર્જશીટમાં વીરેન્દ્ર શુક્લાનું નામ વધારવામાં આવ્યું છે. શુક્લા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના નજીકના છે. પહેલા 13 આરોપી હતા હવે 14 થઈ ગયા છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા વિસ્તારમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે થયેલી હિંસાની તપાસ કરી રહેલા એસઆઈટીએ વધુ 2 લોકોની ધરપકડ કરી છે.

તિકુનિયા વિસ્તારમાં 3 ઓક્ટોબરે ખેડૂત આંદોલન દરમિયાન ભડકેલી હિંસામાં 4 ખેડૂત અને એક પત્રકાર તથા પ્રતિક્રિયા સ્વરૂપે બીજી પાર્ટીના હુમલામાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકરો અને એક ડ્રાઈવર માર્યા ગયા હતા. ભાજપ કાર્યકર્તાઓએ નોંધાવેલી FIRમાં SITએ શનિવારે સાંજે બે લોકોની ધરપકડ કરી હતી. SIT અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓના નામ તિકુનિયા કોતવાલી બોર્ડર હેઠળના ખૈરતિયા ગામના રહેવાસી કંવલજીત સિંહ અને પાલિયા કોતવાલી વિસ્તારના બાબુરાના રહેવાસી કમલજીત સિંહ છે.

અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ

તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પર ભાજપના કાર્યકર્તા શુભમ બાજપેયી અને શ્યામ સુંદર નિષાદ અને ડ્રાઈવર હરિઓમની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. તે મુજબ આ કેસમાં એસઆઈટી અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પહેલા 4 અન્ય વિચિત્ર સિંહ, ગુરવિન્દ્રર સિંહ, રંજીત સિંહ અને અવતાર સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જે જેલમાં છે.

ગૃહરાજ્ય મંત્રીના પુત્ર પર હત્યાનો કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે તિકુનિયા હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર આશીષ મિશ્રા અને તેના ડઝનભર સાથીઓની વિરૂદ્ધ 4 ખેડૂતને થાર જીપથી કચડી નાખવા અને તેમની પર ફાયરિંગ કરવા જેવા ઘણા ગંભીર આરોપ છે. ઉપરોક્ત આરોપમાં ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર પણ તેના સાથીદારો સાથે જેલમાં છે. ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હાથમાં નકલી તમંચો અને સિગારેટ લઈને કરી રહ્યા હતા સ્ટંટ, સુરત પોલીસે કરી એવી કાર્યવાહી કે જોડી દીધા હાથ

આ પણ વાંચો: કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">