AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જય શ્રી રામ’ બોલો અને ડિસ્કાઉન્ટ મેળવો, આ ડૉક્ટરે દર્દીઓ માટે શરૂ કરી અનોખી ઓફર

કોલકાતાના ડૉ. પી. કે. હઝરાએ 'જય શ્રી રામ' બોલનાર દર્દીઓને કન્સલ્ટેશન ફીમાં છૂટ આપવાનો અનોખો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ડૉક્ટર પોતે ભાજપથી પ્રભાવિત છે અને ટિકિટની અપેક્ષા રાખે છે.

‘જય શ્રી રામ’ બોલો અને ડિસ્કાઉન્ટ મેળવો, આ ડૉક્ટરે દર્દીઓ માટે શરૂ કરી અનોખી ઓફર
| Updated on: Apr 14, 2026 | 9:12 PM
Share

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ડૉક્ટરે અનોખો નિર્ણય લીધો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ ડૉક્ટર પોતાના ક્લિનિકમાં આવનારા એવા દર્દીઓને કન્સલ્ટેશન ફીમાં છૂટ આપી રહ્યા છે, જે ‘જય શ્રી રામ’ બોલે છે. આ ઑફર અંગે ક્લિનિકમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર ભાજપના સ્કાર્ફ સાથે નજરે પડે છે.

આ નિર્ણય અંગે પ્રતિસાદ આપતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પી. કે. હઝરાએ જણાવ્યું હતું કે ‘જય શ્રી રામ’ માત્ર ધાર્મિક સૂત્ર નથી, પરંતુ રાજકીય પણ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિને પોતાની રાજકીય વિચારધારા અનુસરવાનો અધિકાર છે.

વર્ષોથી તેઓ દર્દીઓ પાસેથી સાંભળતા આવ્યા છે

મીડિયા સાથે વાતચીત દરમિયાન હઝરાએ જણાવ્યું હતું કે આ વિચાર સંપૂર્ણપણે તેમનો પોતાનો છે. તેમણે કહ્યું કે વર્ષોથી તેઓ દર્દીઓ પાસેથી સાંભળતા આવ્યા છે કે કેમ તેઓને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે. આ સ્થિતિથી તેઓ દુઃખી થાય છે, કારણ કે બંગાળના દર્દીઓ આસામ, ઓડિશા અથવા દક્ષિણ ભારત તરફ જાય છે, જ્યારે અન્ય રાજ્યોના દર્દીઓ અહીં આવતાં નથી.

તેમણે જણાવ્યું કે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે જ તેમણે આ પહેલ શરૂ કરી છે. તેઓ દક્ષિણ કોલકાતામાં પોતાના ચેમ્બર ખાતે આ છૂટ આપી રહ્યા છે, જ્યારે હોસ્પિટલમાં આ ઑફર લાગુ પડતી નથી.

ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી ટિકિટ મળવાની અપેક્ષા

હઝરાએ વધુમાં જણાવ્યું કે તેઓ સીધા ભાજપ સાથે જોડાયેલા નથી, પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં થયેલા વિકાસથી પ્રભાવિત છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ પશ્ચિમ મિદનાપુર જિલ્લાના પિંગલા વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી ટિકિટ મળવાની અપેક્ષા રાખે છે.

જોકે, હઝરાએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના કામની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ સારો કામ કર્યો છે, પરંતુ અન્ય રાજ્યોની તુલનામાં બંગાળ વિકાસમાં પાછળ રહી ગયું છે. તેમના મતે, રાજ્યમાં વધુ વિકાસ માટે હજુ ઘણું કામ કરવાની જરૂર છે.

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ મંથન; ઈરાન સંકટ પર થઈ મોટી વાત

Follow Us
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">