કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ

મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે કેમ્પમાં COVID-19 સંબંધિત આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ
કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:52 PM

કેરળ (Kerala)માં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે તબાહી મચી છે. રાજ્યના બે જિલ્લામાં ભૂસ્ખલન અને વિનાશક પૂરના લીધે મૃત્યુઆંક વધીને 21 થયો છે. રાહત અને બચાવ ટીમોએ રવિવારે કાટમાળમાંથી અનેક મૃતદેહો બહાર કાઢ્યા છે. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે બચાવ કાર્યકરોએ ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા મૃત્યુ પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું,  આ દુ:ખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે કેન્દ્ર ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળના લોકોને તમામ શક્ય મદદ કરશે.

તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, સરકાર ભારે વરસાદ અને પૂરને જોતા કેરળના કેટલાક ભાગોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને તમામ શક્ય મદદ કરશે. બચાવ કામગીરીમાં મદદ માટે NDRFની ટીમ પહેલેથી જ મોકલવામાં આવી છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.

અહીં, ઈડુક્કી જિલ્લા કલેક્ટર શીબા જ્યોર્જે જણાવ્યું હતું કે ઈડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં કોક્કયારમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પાંચ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન બચાવ પ્રયાસો બાદ કાદવમાં દટાયેલા ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બાળકો એકબીજાને પકડેલા જોવા મળ્યા છે. કેરળમાં વિપક્ષના નેતા વી ડી સતીસને નેકોક્કયાર અને કુટ્ટીકલની મુલાકાત લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર બચાવ કામગીરી શરૂ કરવામાં નિષ્ફળ રહી છે.

આ વિસ્તારમાં સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), પોલીસ અને ફાયર ફોર્સની સાથે સાથે સ્થાનિક લોકોએ પણ રવિવારે સવારે કુટ્ટીક્કલ અને કોક્કાયાર પંચાયત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યાં શનિવારથી ભારે વરસાદની સાથે અનેક ભૂસ્ખલનને કારણે 12થી વધુ લોકો ગુમ છે. બચાવ પ્રયાસોનું સંકલન કરવા માટે કોટ્ટયમમાં હાજર રહેલા રાજ્યના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે સરકારી એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે શું  કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા છે.

હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે

કોચીમાં નૌકાદળનું હેલિકોપ્ટર પહેલેથી જ રાહત સામગ્રી સાથે વરસાદ પ્રભાવિત વિસ્તારો માટે રવાના થયું છે. વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર આવી ગયા છે અને એક હેલિકોપ્ટર તિરુવનંતપુરમમાં તૈયાર રાખવામાં આવ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝે જણાવ્યું હતું કે ઉત્તર કેરળ-કર્ણાટક દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રને અડીને દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશર એરિયા બન્યું છે અને તેઓએ આગામી 24 કલાકમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે: સીએમ પિનરાયી વિજયન

મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે કેમ્પમાં COVID-19 સંબંધિત આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

મંત્રી રાજને જણાવ્યું છે કે વિસ્તાર તરફ જતા રસ્તાઓ નાશ પામ્યા છે. ભારે મુશ્કેલીથી પંચાયત પ્રમુખ અને ગામના અધિકારીઓ રાતે પોતાની રીતે જ ત્યાં પહોંચ્યા. એનડીઆરએફએ સવારે પઠાનમથિટ્ટા જિલ્લામાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા આશરે 80 લોકોને બચાવ્યા. NDRFએ રાજ્યમાં 11 ટીમોને શોધ, બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરી છે.

આ પણ વાંચો :  Chardham Yatra 2021: ચારધામ યાત્રા પર કામચલાઉ પ્રતિબંધ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાને મુસાફરોને કરી આ અપીલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">