AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત

જસ્ટિનના પરિવારે આ મામલે ચિંગાવનમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મુખ્યમંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય નોરકાને પણ પત્ર લખ્યો છે.

Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત
Justin Kuruvilla (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:53 PM
Share

એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) ગુમ થયેલા કેરળના (Kerala) 28 વર્ષીય યુવક અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આફ્રિકાથી અમેરિકા જઈ રહેલા કાર્ગો જહાજના સ્ટાફ જનરલ સ્ટુઅર્ડ જસ્ટિન કુરુવિલા (Justin Kuruvilla) છેલ્લા કેટલાક દિવસોથી ગુમ છે. જહાજના અધિકારીઓએ પરિવારને જાણ કરી કે તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ જસ્ટિન મળી શક્યો નહીં. ગુમ થયેલા વ્યક્તિના ભાઈ સ્ટીફનના જણાવ્યા અનુસાર તેને ફોન આવ્યો હતો કે તેના ભાઈ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.

જહાજ પરના અધિકારીઓએ સ્ટીફનને જણાવ્યું કે, જસ્ટિન 8 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી ગુમ હતો. તમને જણાવી દઈએ કે, સ્ટીફન પોતે પણ જહાજ પર સામાન્ય કારભારી તરીકે કામ કરે છે. તેણે કહ્યુ કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે જસ્ટિન 8 ફેબ્રુઆરીએ ડ્યુટી વચ્ચેના વિરામ બાદ તેના રૂમમાં ગયો હતો અને પાછો આવ્યો ન હતો. જ્યારે ઓફિસરે તેને લગભગ 4 વાગે જોયો ત્યારે જસ્ટિનની તબિયત સારી ન હતી. તેને ખૂબ તાવ હતો. જે બાદ અધિકારીએ તેને ફ્રેશ થઈને ફરજ પર આવવા કહ્યુ હતુ. જોકે, તે બાદ જસ્ટિન ક્યાંય જોવા મળ્યો નહોતો.

છેલ્લે 6 ફેબ્રુઆરીએ કર્યો હતો અંતિમ કોલ

આ મામલે તેની બહેને કહ્યુ કે, ‘જહાજ 31 જાન્યુઆરીએ ડરબનથી નીકળી ગયુ હતુ. તે અમને રોજ ફોન કરતો, પણ છેલ્લો કોલ એક અઠવાડિયા પહેલાનો હતો. તે દિવસથી તેણે અમારા કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું.સ્ટીફનના જણાવ્યા અનુસાર, જસ્ટિને છેલ્લી વખત 6 ફેબ્રુઆરીએ ઘરે ફોન કર્યો હતો અને પરિવારના સભ્યો સાથે વાત કરી હતી.

જો કે, આ પછી તેણે કોઈ કોલનો જવાબ આપ્યો ન હતો. તે દરમિયાન જહાજ દક્ષિણ આફ્રિકાના ડરબનથી બેયોન (USA) જઈ રહ્યુ હતુ. જહાજ 31 જાન્યુઆરીએ ડરબનથી નીકળ્યું હતું અને 23 ફેબ્રુઆરીએ બેયોન પહોંચવાનુ હતુ.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : ઠાકરે સરકાર 10 માર્ચ બાદ પડી ભાંગશે, BJP પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">