AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab election 2022 : ‘ભાજપને 5થી વધુ સીટો નહિ મળે’, CM કેજરીવાલે આપ્યુ મોટુ નિવેદન

કેજરીવાલે કહ્યુ, CM ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌરથી લડી રહ્યા છે, અમે તે સીટો પર ત્રણ વખત સર્વે કર્યો છે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી રહ્યા છે.

Punjab election 2022 : 'ભાજપને 5થી વધુ સીટો નહિ મળે', CM કેજરીવાલે આપ્યુ મોટુ નિવેદન
CM Arvind Kejriwal (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:19 PM
Share

Punjab election 2022: AAP નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનની અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભગવંત માને કહ્યુ કે, પંજાબમાં ચૂંટણી (Punjab Election) નજીક છે, તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સર્કસ બની ગઈ છે. એક તરફ અન્ય પક્ષો એકબીજા સાથે લડી રહ્યાં છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી છે જ્યાં એક કાર્યકરથી લઈને રાષ્ટ્રીય કન્વીનર સુધી પાર્ટીના બધા એક છે. વધુમાં તેમણે કહ્યુ કે , રાજા વડીંગ કહી રહ્યા છે કે મનપ્રીત બાદલને હરાવવાના છે.બીજી તરફ પ્રનીત કૌર કોંગ્રેસના(Congress)  સાંસદ છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. રાણા ગુરજીતનો પુત્ર કોંગ્રેસને હરાવી રહ્યો છે.

કોંગ્રેસ સર્કસ બની ગઈ છે…..!

સાથે જ કેજરીવાલે કહ્યુ કે, પંજાબના લોકો અમારી સાથે છે, અમે તેમની સાથે જોડાણ સ્થાપિત કરી રહ્યા છીએ અને ઘરે-ઘરે જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 18 ફેબ્રુઆરી સુધી પંજાબમાં પ્રચાર કરશે. તેમણે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસના ઉમેદવારો સ્ટાર પ્રચારકની રાહ જોઈ રહ્યા છે પરંતુ નવજોત સિદ્ધુ પ્રચાર કરી રહ્યા નથી, સુનીલ જાખડ પ્રચાર કરી રહ્યા નથી.

વધુમાં ઉમેર્યુ કે, ભગવંત માને એક ખૂબ જ મહત્વની વાત કહી છે કે જે પાર્ટી સાથે ચૂંટણી લડી શકતી નથી, કોંગ્રેસ સર્કસ બની ગઈ છે, જ્યારે આ પાર્ટી ચલાવી શકતી નથી તો સરકાર કેવી રીતે ચલાવશે.!  અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને નથી લાગતું કે ભાજપની(BJP Party)  5થી વધુ સીટો આવશે, તે પણ વધુ પડતો અંદાજ છે.

અરવિંદ કેજરીવાલ 18 તારીખ સુધી પંજાબમાં પ્રચાર કરશે

કેજરીવાલે કહ્યુ, આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે છે, લોકો સાથે વાત કરી રહી છે. ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌરથી લડી રહ્યા છે, અમે તે સીટો પર ત્રણ વખત સર્વે કર્યો છે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી રહ્યા છે, ચમકૌરમાં AAP 52 ટકા છે, ભદૌરમાં AAP 48 ટકા છે, તેઓ એ વિસ્તારમાંથી ધારાસભ્ય પણ બની શકે તેમ નથી તો CM શું બનશે?

આ પણ વાંચો : Uttarakhand Assembly Election : 14મી ફેબ્રુઆરીએ તમામે તમામ 70 બેઠકો માટે ચૂંટણી, હિમવર્ષાવાળા વિસ્તારમાં 18 કલાક ચાલીને મતદાન મથકે પહોચ્યા ચૂંટણી અધિકારીઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">