કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે કર્મચારીઓ નહીં કરે ડ્યુટી, PM મોદીની પહેલ પર દિલ્હીથી આવ્યા ખાસ ચંપલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં સુરક્ષા કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ માટે ખાસ ભેટ મોકલી છે.
શ્રીકાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Dham) પરિસરમાં ફરજ બજાવતા લોકો હવે શણના ચંપલ પહેરીને ફરજ બજાવશે. વધતી ઠંડીને જોતા રવિવારે મંદિર પરિસરમાં ફરજ બજાવતા લોકોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (pm modi) નિર્દેશ પર મંદિરમાં આ પહેલ કરવામાં આવી હતી. વડા પ્રધાનને ખબર પડી હતી કે CRPF જવાન, પોલીસ, અર્ચક, સેવકો અને સફાઈ કામદારો ઠંડીમાં ખુલ્લા પગે ફરજ બજાવે છે.
પીએમ મોદીની સૂચના બાદ તમામ કર્મચારીઓ માટે દિલ્હીથી 100 જોડી શણના ચંપલ મોકલવામાં આવ્યા હતા. રવિવારે વિભાગીય કમિશનર દીપક અગ્રવાલે મંદિરમાં કામ કરતા શાસ્ત્રીઓ, પૂજારીઓ, CRPF જવાનો, પોલીસકર્મીઓ, સેવાદાર અને સ્વચ્છતા કર્મચારીઓને વિતરણ કર્યું હતું. ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે વધુ શણના ચંપલ આવશે અને મંદિર પરિસર ખાતે ફરજ બજાવતા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવશે.
જ્યારે પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમણે જોયું હતું કે મંદિર પરિસરમાં જૂતા અને ચપ્પલ પહેરી શકાય નહીં. કાશી વિશ્વનાથ મંદિરના આ કામદારો ઠંડીના કારણે ઉઘાડ પગે કામ કરવા માટે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે શણના ચંપલ મળ્યા બાદ હવે તેમને તેમના કામમાં ઘણી સગવડ મળશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂતા એકદમ આરામદાયક છે અને જે લોકો બાકી છે તેમના માટે જલ્દીથી વધુ જૂતા મોકલવામાં આવશે.
#Varanasi, UP | #PMModi sends 100 pairs of jute footwear for the workers at ‘Kashi Vishwanath Dham’ after finding out that most of them worked bare-footed because it is forbidden to wear leather or rubber footwear in the temple premises: GoI sources#TV9News pic.twitter.com/WSAFT60Qu9
— tv9gujarati (@tv9gujarati) January 10, 2022
આ ચંપલનો ઉપયોગ કાશી વિશ્વનાથ ધામ સંકુલની અંદર કરવામાં આવશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર દીપક અગ્રવાલ, પોલીસ કમિશનર એ સતીશ ગણેશ અને શ્રી કાશી વિશ્વનાથ ધામના સીઈઓ ડૉ. સુનિલ કુમાર વર્મા દ્વારા આ શૂઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંદિર પરિસરમાં ચામડા કે રબરના જૂતા અને ચપ્પલની મનાઈ છે. અધિકારીઓએ કહ્યું કે ખાદૌન પહેરીને ફરજ બજાવવી એ દરેક વ્યક્તિની વાત નથી. આ સમસ્યાને જોતા પીએમ મોદીએ કર્મચારીઓને આ સૂચના મોકલી છે.
નોંધનીય છે કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર રવિવારથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે, થર્મલ સ્કેનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન પછી જ રવિવારથી ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન બાદથી ભારે ભીડ એકઠી થઈ રહી છે. મંદિર અને જિલ્લા પ્રશાસન ભીડને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. હવે ભક્તોને બહારથી ઝાંખીના દર્શન કરાવવામાં આવશે. જલાભિષેક માટે ગર્ભગૃહ પાસે વિશેષ પાત્રો સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો : કોરોના બ્લાસ્ટ: દિલ્હી પોલીસના 300 થી વધુ કર્મચારીઓ કોવિડ 19 પોઝિટિવ
આ પણ વાંચો : કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ