AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના બ્લાસ્ટ: દિલ્હી પોલીસના 300 થી વધુ કર્મચારીઓ કોવિડ 19 પોઝિટિવ

દિલ્લીમાં કોરોનાની ત્રીજી લહેરના કેસ સામે આવ્યા બાદ, અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના (Corona in Delhi) સંક્રમણને કારણે 25 હજાર 160 લોકોના મોત થયા છે. 1800 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

કોરોના બ્લાસ્ટ: દિલ્હી પોલીસના 300 થી વધુ કર્મચારીઓ કોવિડ 19 પોઝિટિવ
Delhi Police (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:11 AM
Share

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના (Corona virus) કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી પોલીસના (Delhi Police) 300 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની (Corona) ઝપેટમાં આવ્યા હતા, જેમાં જનસંપર્ક અધિકારી અને એડિશનલ કમિશનર સહીતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ હેડક્વાર્ટર સહિત તમામ એકમો અને તમામ પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય કે રવિવારે છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોના વાયરસના 22 હજાર 751 નવા કેસ સામે આવ્યા છે.

દિલ્લીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં સકારાત્મકતા દર 23.53 ટકા પર પહોંચી ગયો છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં 15 લાખ 49 હજાર 730 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 60 હજાર 733 રહી છે. રવિવારે 10 હજાર 179 લોકો સ્વસ્થ થયા. આ સાથે દિલ્હીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 14 લાખ 63 હજાર 837 થઈ ગઈ છે.

આ સિવાય રવિવારે કોરોનાને કારણે 17 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે  મૃત્યુના નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના (Corona in Delhi) સંક્રમણને કારણે 25 હજાર 160 લોકોના મોત થયા છે. 1800 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસમાં (Delhi Police) 80 હજારથી વધુ જવાનો છે.

તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મચારીઓમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ( Standard operating procedure – SOP) જાહેર કરી હતી. એસઓપી મુજબ, તમામ પોલીસ કર્મચારીઓએ ફરજ પર હોય ત્યારે ચહેરા પર માસ્ક પહેરવા જોઈએ, સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ અને હાથને યોગ્ય રીતે ધોવા અથવા સેનિટાઈઝ કરવા જોઈએ.

કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને કોરોના રસીનો સાવચેતી ડોઝ આપવાનુ નક્કી કર્યુ છે. જેમાં આરોગ્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને સાવચેતી ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 1.79 લાખ કેસ, 65 ટકા નવા કેસ માત્ર 5 રાજ્યમાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર

આ પણ વાંચોઃ

Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">