AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Row: શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવશે કે કેમ ? ટૂંક સમયમાં લેવાશે નિર્ણય, કર્ણાટક હાઈકોર્ટે અનામત રાખ્યો આદેશ

આ મામલાની સુનાવણી કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે ચર્ચા પૂરી થયા બાદ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ગુરુવારે, હાઈકોર્ટે હિજાબ કેસમાં વકીલોને શુક્રવાર સુધીમાં તેમની દલીલો પૂર્ણ કરવા કહ્યું હતું.

Hijab Row: શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવશે કે કેમ ? ટૂંક સમયમાં લેવાશે નિર્ણય, કર્ણાટક હાઈકોર્ટે અનામત રાખ્યો આદેશ
Hijab Controversy - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:14 PM
Share

શાળા અને કોલેજોમાં હિજાબ (Hijab) પહેરવાની છૂટ આપવામાં આવશે કે કેમ તે અંગે કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court) ટૂંક સમયમાં પોતાનો ચુકાદો આપશે. આ મામલાની સુનાવણી કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે ચર્ચા પૂરી થયા બાદ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ગુરુવારે, હાઈકોર્ટે હિજાબ કેસમાં વકીલોને શુક્રવાર સુધીમાં તેમની દલીલો પૂર્ણ કરવા કહ્યું હતું. કોર્ટે સંકેત આપ્યો હતો કે તે આ કેસમાં જલ્દી જ પોતાનો ચુકાદો સંભળાવશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ વકીલોને કહ્યું કે શુક્રવાર સુધીમાં દલીલો પૂરી થઈ જવી જોઈએ. ચીફ જસ્ટિસ સહિત ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે સંબંધિત પક્ષકારોને બેથી ત્રણ દિવસમાં તેમની લેખિત રજૂઆતો રજૂ કરવા પણ કહ્યું હતું.

દરમિયાન એડવોકેટ દેવદત્ત કામતે જણાવ્યું હતું કે તેમના ક્લાયંટ સહ-શૈક્ષણિક કૉલેજમાં અભ્યાસ કરે છે, જ્યાં તેણે બે વર્ષ પહેલાં પ્રવેશ લીધો હતો. કામતના કહેવા પ્રમાણે, તે કોલેજમાં જોડાઈ ત્યારથી તે હિજાબ પહેરતી હતી, પરંતુ અચાનક તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.

કામતે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હિજાબ પર કોઈ સામાન્ય ઘોષણા માટે પૂછતા ન હતા કે તે આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ છે, પરંતુ તેમની દલીલ 5 ફેબ્રુઆરીના સરકારી આદેશથી સંબંધિત છે જે તમામ વિદ્યાર્થીઓને આવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકે છે જેનાથી શાંતિ, સંવાદિતા અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પડવાની શક્યતા છે.

કામતે કહ્યું કે આ ઓર્ડર રદ થવો જોઈએ. વકીલે દલીલ કરી, જો સરકારી આદેશને બાજુ પર રાખવામાં આવે છે, તો કલમ 25 હેઠળ મૂળભૂત અધિકારના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. કોર્ટે કહ્યું, શૈક્ષણિક સંસ્થામાં નિર્ધારિત યુનિફોર્મ છે, તો પછી હિજાબ પહેરવાનો આગ્રહ કેવી રીતે કરી શકીએ?

તેના જવાબમાં ચીફ જસ્ટિસ એ જાણવા માગતા હતા કે નિર્ધારિત યુનિફોર્મ ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં તેઓ હિજાબ પહેરવાનો આગ્રહ કેવી રીતે કરી શકે અને અરજદારનો મૂળભૂત અધિકાર શું છે? તેમણે કામતને એ પણ સ્થાપિત કરવા કહ્યું કે હિજાબ ધાર્મિક પ્રથાનો એક ભાગ છે.

જસ્ટિસ અવસ્થીએ કહ્યું, અમે કોઈ પ્રતિબંધની વાત નથી કરી રહ્યા. અમે ફક્ત તમારા અધિકારની વાત કરી રહ્યા છીએ, જેના માટે તમે આગ્રહ કરી રહ્યા છો. જવાબમાં કામતે બેન્ચેને કહ્યું કે આ અધિકાર કુરાન અને હદીસમાંથી લેવામાં આવ્યો છે. તાજેતરમાં, ઉડુપીની એક કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવ્યા બાદ મામલો શરૂ થયો હતો. બાદમાં વિદ્યાર્થિનીઓ કોર્ટમાં ગઈ હતી.

આ પણ વાંચો : દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, શાળા-કોલેજ અને જીમ ખોલવાની આપી સૂચના

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : નવાબ મલિકની કરવામાં આવશે મેડિકલ તપાસ, આટલા દિવસ સુધી મંત્રી રહેશે કસ્ટડીમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">