દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, શાળા-કોલેજ અને જીમ ખોલવાની આપી સૂચના

આજે દેશભરમાંથી કોરોના વાયરસના 13166 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, શાળા-કોલેજ અને જીમ ખોલવાની આપી સૂચના
Home Ministry - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 4:49 PM

કોરોના રોગચાળામાં ઘટાડો અને સક્રિય કેસોની (Corona Cases) ઘટતી સંખ્યા વચ્ચે દેશ ફરી એકવાર તેના જૂના સમયમાં પાછો ફરી રહ્યો છે. આ ક્રમમાં ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) હવે વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટ આપવા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે જોખમનું મૂલ્યાંકન કર્યા પછી શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને જીમ સહિતની ઘણી વ્યાપારી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળા બાદ દેશમાં સ્થિતિ સુધરી રહી છે. આવી સ્થિતિમાં જોખમનું આકલન કરીને આર્થિક ગતિવિધિઓ ખોલવાની જરૂર છે. તેમાં સામાજિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવાર સંબંધિત મેળાવડાઓનું આયોજન કરવાનો સમાવેશ થાય છે.

શાળા-કોલેજો ખોલવા સૂચના

આ સિવાય નાઇટ કર્ફ્યુ, જાહેર પરિવહનનું સંચાલન, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, જીમ, સ્પા, રેસ્ટોરન્ટ અને બાર પણ ખોલી શકાશે. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ, કોલેજો, ઓફિસો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ખોલવા પર પણ વિચાર કરવો જોઈએ. જો કે, કોરોના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તેની કાળજી લેવી જોઈએ. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, હાથની સ્વચ્છતા અને બંધ સ્થળોએ વેન્ટિલેશન વગેરેનો કોવિડ મેનેજમેન્ટના નિયમોનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ.

દેશમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે દેશભરમાંથી કોરોના વાયરસના 13166 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત થયા છે. આ દરમિયાન 26,988 લોકો આ ખતરનાક રોગથી સાજા પણ થયા હતા. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં નવા કેસ ઉમેર્યા બાદ હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,94,345 થઈ ગઈ છે. જો કે, ભારતમાં સક્રિય કેસ ઘટીને 1,34,235 થઈ ગયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું હવે નહીં આવે આગામી લહેર

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વખતે કોરોનાનું મોજું પણ અગાઉના બે મોજા કરતાં હળવું હતું. કેટલાક નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે હવે કોરોના ટૂંક સમયમાં સ્થાનિક સ્તરે પહોંચશે. જો કે, દેશના આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વિશે અત્યારે સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. કોવિડ નિષ્ણાત ડૉ. જુગલ કિશોર કહે છે કે હાલમાં કોઈ નવી લહેર આવવાની શક્યતા ઓછી છે, પરંતુ એવું ન કહી શકાય કે કોરોનાની કોઈ લહેર ક્યારેય નહીં આવે. કારણ કે આ વાયરસ પોતાની જાતને સતત બદલતો રહે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : નવાબ મલિકની કરવામાં આવશે મેડિકલ તપાસ, આટલા દિવસ સુધી મંત્રી રહેશે કસ્ટડીમાં

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">