મોહન ભાગવતના નિવેદન પર કપિલ સિબ્બલ સંમત થયા, પરંતુ કટાક્ષ કરતા કહી આ મોટી વાત

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. તેમણે કહ્યું કે, હિંદુસ્તાને હિંદુસ્તાન જ રહેવું જોઈએ, આ સાવ સાદી વાત છે. તેના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી.

મોહન ભાગવતના નિવેદન પર કપિલ સિબ્બલ સંમત થયા, પરંતુ કટાક્ષ કરતા કહી આ મોટી વાત
Kapil Sibal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 1:19 PM

RSS ચીફ મોહન ભાગવતના એક ઈન્ટરવ્યુની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થનની મળી રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે બુધવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન સાથે સંમત થયા હતા કે હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, પરંતુ કટાક્ષ કરતા કહ્યુ કે, માણસે પણ માણસ જ રહેવું જોઈએ. આરએસએસ સાથે જોડાયેલા પ્રકાશન ઓર્ગેનાઈઝર અને પંચજન્યને આપેલા ઈન્ટરવ્યુમાં ભાગવતે કહ્યું કે ભારતમાં મુસ્લિમોને ડરવાની જરૂર નથી.

હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ: મોહન ભાગવત

તેમના આ પ્રકારના નિવેદન પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ પરંતુ માણસે પણ માણસ જ રહેવું જોઈએ. તેમનો કહેવાનો મતલબ એ હતો કે માણસને કોઈપણ જાતિ કે ધર્મમાં વિભાજિત ન કરવો જોઈએ. આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા છે અને દરેકને સ્વીકારવાની અને સાથે લઈ જવાની વૃત્તિ છે અને દેશમાં ઈસ્લામ કોઈ ખતરો નથી, પરંતુ તેણે મોટા હોવાની ભાવ છોડવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી: મોહન ભાગવત

મોહન ભાગવતે પણ એલજીબીટી સમુદાયને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહન આપશે. તેમણે જણાવ્યું હતું કે, માનવીના અસ્તિત્વના સમયથી, આવા વલણ ધરાવતા લોકો હંમેશા ત્યાં હતા. તે જૈવિક છે, જીવનનો માર્ગ છે. અમે ઈચ્છીએ છીએ કે તેને તેની ગોપનીયતાનો અધિકાર મળે અને લાગે કે તે પણ આ સમાજનો એક ભાગ છે. તે એક સરળ બાબત છે. તેમણે કહ્યું કે, થર્ડ જેન્ડર લોકો (ટ્રાન્સજેન્ડર) સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી, હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે.

મોહન ભાગવતે કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. તેમણે કહ્યું કે, હિંદુસ્તાને હિંદુસ્તાન જ રહેવું જોઈએ, આ સાવ સાદી વાત છે. તેના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તે રહેવા માંગે છે તો રહે. પૂર્વજો પાસે પાછા આવવું છે તો આવી શકે છે. તેમની ઈચ્છા પર છે. તેમણે કહ્યું કે ઈસ્લામને કોઈ ખતરો નથી.

(‌ઈનપુટ – ભાષા)

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">