KanhaiyaLal Murder – રાજસ્થાનમાં કેટલી છે મુસ્લિમ વસ્તી અને કેટલી છે તેની રાજકીય તાકાત

Udaipur Murder ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસ બાદ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર રાજસ્થાનમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવામાં સફળ રહી છે. પરંતુ રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી અને તેની રાજકીય તાકાત પર એક નજર નાખો.

KanhaiyaLal Murder - રાજસ્થાનમાં કેટલી છે મુસ્લિમ વસ્તી અને કેટલી છે તેની રાજકીય તાકાત
Muslim population in Rajasthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 2:28 PM

ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા (KanhaiyaLal Murder) કેસ બાદ રાજસ્થાનમાં (Rajasthan) તણાવ વધી ગયો છે. શાંતિ જાળવવા માટે રાજસ્થાન સરકારે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) જોધપુરની મુલાકાત રદ કરી જયપુર પહોંચી ગયા. અને બીજા જ દિવસે પોતે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉદયપુર (Udaipur) પહોંચી ગયા. જ્યાં કેટલીક જગ્યાએ તણાવ સર્જાયો હતો. જેનાથી સમગ્ર રાજસ્થાન રાજ્યમાં વહિવટીતંત્ર મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો સાથે શાંતિ જાળવવામાં સફળ રહ્યું છે.

રાજસ્થાનમાં કેટલા છે મુસ્લિમો

દેશમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ રાજસ્થાનની વસ્તી 6 કરોડ 85 લાખ છે. રાજસ્થાનમાં લગભગ 9 ટકા મુસ્લિમ વસ્તી છે. રાજસ્થાનમાં 33 જિલ્લા છે. જો જિલ્લાવાર મુસ્લિમ વસ્તી પર નજર નાખીએ તો, ઉદયપુરમાં મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે. ઉદયપુરમાં મુસ્લિમોની વસ્તી 1 લાખ 4 હજારથી વધુ છે. ઉદયપુરમાં હિન્દુઓની વસ્તી 28 લાખથી વધુ છે.

આ પહેલા પણ ઉદયપુરમાં 1970 અને 1992માં બે વખત સાંપ્રદાયિક તંગદિલી સર્જાઈ હતી, જેનાથી આ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પરંતુ શહેરના યુવાનોને આવી કોઈ ઘટના યાદ નથી. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં સાંપ્રદાયિક તણાવની ઘટનાઓમાં ચોક્કસપણે વધારો થયો છે. અગાઉ નવરાત્રિના દિવસે કરૌલીમાં પથ્થરમારાને કારણે આ વિસ્તારમાં ઘણા દિવસો સુધી તણાવનો માહોલ સર્જાયો હતો. જે બાદ ઈદના અવસર પર જોધપુરના જલોરી ગેટ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તો ભીલવાડામાં પણ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ભીલવાડામાં પોલીસે સમયસર પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હવે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાની ઘટના અહીંના યુવાનો માટે આઘાતજનક છે. રાજસ્થાનમાં છેલ્લા 8 વર્ષની વાત કરીએ તો રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારો વારાફરતી આવી છે. એનસીઆરબીના ડેટા પર નજર કરીએ તો વર્ષ 2016 સિવાય રાજસ્થાનમાં દર વર્ષે સાંપ્રદાયિક હિંસા થઈ છે.

  • વર્ષ 2014- સાંપ્રદાયિક હિંસાના 26 કેસ
  • વર્ષ 2015- 16 કેસ
  • વર્ષ 2016- 0 કેસ
  • વર્ષ 2017- 16 કેસ
  • વર્ષ 2018- 18 કેસો
  • વર્ષ 2019- 18 કેસો
  • વર્ષ 2020- 3 કેસ

છેલ્લા 3 મહિનામાં કોમી તણાવ

રાજસ્થાનમાં છેલ્લા ત્રણ મહિનામાં કરૌલીથી લઈને જોધપુર, ભીલવાડા અને હવે ઉદયપુર સુધી કોમી તણાવની સ્થિતિ છે. જો ભીલવાડા છોડી દઈએ તો અન્ય ત્રણેય જગ્યાએ કર્ફ્યુ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા જેવા નિર્ણયો લેવા પડ્યા. ઘણા દિવસો સુધી આ શહેરો પોલીસની નજર હેઠળ હતા. કરૌલીમાં નવરાત્રના દિવસે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોધપુરમાં જાલોરી ગેટ પર બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ઈસ્લામિક ધ્વજ લગાવ્યા બાદ વિવાદ થયો હતો. તો હવે નૂપુર શર્માના સમર્થનમાં કથિત રીતે પોસ્ટ કરનાર કનૈયાલાલ સાહુની ઉદયપુરમાં હત્યા કરવામાં આવી છે.

રાજસ્થાનમાં 9 ટકા મુસ્લિમ વસ્તી છે. રાજ્યની લગભગ 36 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ વસ્તીનો પ્રભાવ છે. તેમાંથી 15 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ વસ્તી સીધી રીતે નિર્ણાયક ભૂમિકામાં છે. તો લગભગ એક ડઝન બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો હાર-જીતની દિશા નક્કી કરે છે.

કઇ બેઠક પર મુસ્લિમ વસ્તીનું વર્ચસ્વ છે?

રાજસ્થાનમાં જયપુરના ડીડવાના, મકરાણા, મુંડવા, નાગૌર, ટોંક, મસુદા, પુષ્કર, લાડપુરા તેમજ કિશનપોલ, આદર્શનગર, હવા મહેલ, જોહરી બજાર, તિજારા, રામગઢ અને ફતાહપુરમાં મુસ્લિમ બેઠકો છે. આ સિવાય જોધપુર ડિવિઝનની પોખરણ, શિવ, ચોહટન અને સુરસાગર બેઠકો પર રાજકીય પક્ષો વારંવાર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખે છે. આ ઉપરાંત કમાન, ધોલપુર, સવાઈ માધોપુર અને નગર વિધાનસભા બેઠક પણ આ શ્રેણીમાં આવે છે.

20 વર્ષમાં 9 મુસ્લિમ પ્રધાન

રાજસ્થાનમાં છેલ્લા 20 વર્ષમાં 9 મુસ્લિમ ચહેરા પ્રધાન બન્યા છે. હાલમાં સાલેહ મોહમ્મદ અને ઝાહિદા ખાન અશોક ગેહલોત સરકારમાં પ્રધાન છે. આ સિવાય યુનુસ ખાન વસુંધરા રાજેની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. બાડમેરના શિવના ધારાસભ્ય અમીન ખાન અગાઉની કોંગ્રેસ સરકારમાં પણ પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે દુર્રુ મિયા અગાઉની ગેહલોત સરકારમાં આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે, ત્યારે તૈયબ હુસૈન 1998માં રચાયેલી અશોક ગેહલોત સરકારમાં આરોગ્ય પ્રધાન હતા. અબ્દુલ અઝીઝ 1998માં પ્રધાન પણ બન્યા હતા. બીજી તરફ, તકીઉદ્દીન અહેમદ અને હબીબુર રહેમાન પણ રાજસ્થાન સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">