AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર

નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે.

JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર
Nitish Kumar (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 1:08 PM
Share

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. નીતિશે પીકે પર આરોપ લગાવ્યો છે કે જેડીયુને (JDU) કોંગ્રેસમાં (Congress) વિલય કરવાનો પ્રસ્તાવ તેમણે મને આપ્યો હતો. સાથે જ તેમણે પ્રશાંત કિશોરના એ દાવાને પણ ફગાવી દીધો કે તેઓ તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગે છે.

પીકેને ઉત્તરાધિકારી બનાવવા અંગેના સવાલો પર નીતિશે કહ્યું કે આવું ક્યારેય બન્યું નથી. તે કંઈ પણ કહેતો રહે છે. હકીકતમાં, તાજેતરમાં જ પ્રશાંત કિશોરે ‘જન સુરાજ યાત્રા’ દરમિયાન દાવો કર્યો હતો કે નીતિશ કુમારે એક મીટિંગ દરમિયાન એવી ઓફર કરી હતી કે તેઓ તેમના અનુગામી બને. પરંતુ તેમણે નીતિશના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

પ્રશાંતે કહ્યું, તે JDU માટે કામ નહીં કરે

પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર પ્રહાર કરતા હાલમાં જ કહ્યું હતું કે નીતીશ કુમાર તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવે અથવા તેમના માટે સીએમની ખુરશી છોડી દે, તેઓ જેડીયુ માટે કામ કરશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ બિહારની 3500 કિલોમીટર લાંબી પદયાત્રા પર છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું નીતિશ કુમારને મળવા ગયો હતો, જેથી હું કહી શકું કે ગમે તેટલી મોટી લાલચ હોય, તેઓ જનતાને આપેલા વચનોથી પાછળ નહીં હટશે.

પ્રશાંત 2018માં જેડીયુમાં જોડાયા હતા

જણાવી દઈએ કે પ્રશાંત કિશોરને 2018માં નીતિશ કુમારે JDUમાં સામેલ કર્યા હતા. બાદમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી હતી. જો કે, CAA, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિવાદ પર કુમાર સાથેના તેમના વિવાદને કારણે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">