JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર
નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. નીતિશે પીકે પર આરોપ લગાવ્યો છે કે જેડીયુને (JDU) કોંગ્રેસમાં (Congress) વિલય કરવાનો પ્રસ્તાવ તેમણે મને આપ્યો હતો. સાથે જ તેમણે પ્રશાંત કિશોરના એ દાવાને પણ ફગાવી દીધો કે તેઓ તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગે છે.
પીકેને ઉત્તરાધિકારી બનાવવા અંગેના સવાલો પર નીતિશે કહ્યું કે આવું ક્યારેય બન્યું નથી. તે કંઈ પણ કહેતો રહે છે. હકીકતમાં, તાજેતરમાં જ પ્રશાંત કિશોરે ‘જન સુરાજ યાત્રા’ દરમિયાન દાવો કર્યો હતો કે નીતિશ કુમારે એક મીટિંગ દરમિયાન એવી ઓફર કરી હતી કે તેઓ તેમના અનુગામી બને. પરંતુ તેમણે નીતિશના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.
#WATCH | When asked about Prashant Kishor’s claim that Nitish Kumar offered him a post recently, Bihar CM says, “It’s false. Let him speak whatever he wants,we’ve nothing to do with it.4-5 yrs back he had told me to merge with Congress.He has gone to BJP & is acting as per it…” pic.twitter.com/5YUzAT6kv8
— ANI (@ANI) October 8, 2022
પ્રશાંતે કહ્યું, તે JDU માટે કામ નહીં કરે
પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર પ્રહાર કરતા હાલમાં જ કહ્યું હતું કે નીતીશ કુમાર તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવે અથવા તેમના માટે સીએમની ખુરશી છોડી દે, તેઓ જેડીયુ માટે કામ કરશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ બિહારની 3500 કિલોમીટર લાંબી પદયાત્રા પર છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું નીતિશ કુમારને મળવા ગયો હતો, જેથી હું કહી શકું કે ગમે તેટલી મોટી લાલચ હોય, તેઓ જનતાને આપેલા વચનોથી પાછળ નહીં હટશે.
પ્રશાંત 2018માં જેડીયુમાં જોડાયા હતા
જણાવી દઈએ કે પ્રશાંત કિશોરને 2018માં નીતિશ કુમારે JDUમાં સામેલ કર્યા હતા. બાદમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી હતી. જો કે, CAA, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિવાદ પર કુમાર સાથેના તેમના વિવાદને કારણે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.