JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર

નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે.

JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર
Nitish Kumar (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 1:08 PM

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. નીતિશે પીકે પર આરોપ લગાવ્યો છે કે જેડીયુને (JDU) કોંગ્રેસમાં (Congress) વિલય કરવાનો પ્રસ્તાવ તેમણે મને આપ્યો હતો. સાથે જ તેમણે પ્રશાંત કિશોરના એ દાવાને પણ ફગાવી દીધો કે તેઓ તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગે છે.

પીકેને ઉત્તરાધિકારી બનાવવા અંગેના સવાલો પર નીતિશે કહ્યું કે આવું ક્યારેય બન્યું નથી. તે કંઈ પણ કહેતો રહે છે. હકીકતમાં, તાજેતરમાં જ પ્રશાંત કિશોરે ‘જન સુરાજ યાત્રા’ દરમિયાન દાવો કર્યો હતો કે નીતિશ કુમારે એક મીટિંગ દરમિયાન એવી ઓફર કરી હતી કે તેઓ તેમના અનુગામી બને. પરંતુ તેમણે નીતિશના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પ્રશાંતે કહ્યું, તે JDU માટે કામ નહીં કરે

પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર પ્રહાર કરતા હાલમાં જ કહ્યું હતું કે નીતીશ કુમાર તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવે અથવા તેમના માટે સીએમની ખુરશી છોડી દે, તેઓ જેડીયુ માટે કામ કરશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ બિહારની 3500 કિલોમીટર લાંબી પદયાત્રા પર છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું નીતિશ કુમારને મળવા ગયો હતો, જેથી હું કહી શકું કે ગમે તેટલી મોટી લાલચ હોય, તેઓ જનતાને આપેલા વચનોથી પાછળ નહીં હટશે.

પ્રશાંત 2018માં જેડીયુમાં જોડાયા હતા

જણાવી દઈએ કે પ્રશાંત કિશોરને 2018માં નીતિશ કુમારે JDUમાં સામેલ કર્યા હતા. બાદમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી હતી. જો કે, CAA, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિવાદ પર કુમાર સાથેના તેમના વિવાદને કારણે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">