AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ, 11 જવાનની હાલત ગંભીર

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા.

Jammu Kashmir: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ, 11 જવાનની હાલત ગંભીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:24 PM
Share

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગર (Srinagar)માં ફરી એકવાર આતંકીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે. તેમને શ્રીનગરના જીવાન વિસ્તારમાં સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો કર્યો. આ હુમલામાં 11 જવાન ઘાયલ થઈ ગયા છે. આ હુમલામાં 2 પોલીસ જવાન શહીદ થયા છે. સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા.

એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ફાયરિંગમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીવાદીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બારગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે સુચના મળ્યા બાદ તપાસ અભિયાન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો, સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી. અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો: 47 વર્ષ જુના શ્રીરામ ગ્રુપમાં બધુ બદલાશે, 3 કંપનીઓના મર્જરથી બની નવી કંપની, સામાન્ય લોકોને થશે આ ફાયદો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">