Jammu Kashmir : નીતિન ગડકરી આજે આઠ ટનલ સહિત 25 હાઈવે પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિકને રહેશે વધુ સરળતા
નીતિન ગડકરીની જમ્મુ ક્ષેત્રની સાડા ત્રણ કલાકની મુલાકાત વિકાસની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, નીતિન ગડકરી આજે બપોરના લગભગ 2 વાગ્યે વિશેષ વિમાન દ્વારા જમ્મુ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ ડોડા જિલ્લાના સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ હેલિકોપ્ટર દ્વારા રવાના થશે.
ખુબ જ સારા રોડ કનેક્ટિવિટી દ્વારા વિકાસને વધુ વેગ આપવાના અભિયાનના ભાગરૂપે, બુધવારે જમ્મુ ડિવિઝનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Road Transport Minister Nitin Gadkari) આઠ નાની – મોટી ટનલ સહિત કુલ 25 હાઇવે પ્રોજેક્ટ (Highway project)નો શિલાન્યાસ કરશે. જેમાં 257 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. કુલ રૂ. 11,721 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટ્સમાંથી અડધો ભાગ ટનલના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. આ વિકાસલક્ષી કાર્યોને કારણે જમ્મુ શ્રીનગર (Jammu Srinagar) વચ્ચેનુ અંતર ઘટાડવા ઉપરાંત ખાસ કરીને ભૂસ્ખલનને કારણે થતી સમસ્યાઓથી પણ છુટકારો મેળવશે.
નીતિન ગડકરીની જમ્મુ ક્ષેત્રની સાડા ત્રણ કલાકની મુલાકાત વિકાસની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, નીતિન ગડકરી (Nitin Gadkari) આજે બપોરના લગભગ 2 વાગ્યે વિશેષ વિમાન દ્વારા જમ્મુ એરપોર્ટ (Jammu Airport) ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ ડોડા જિલ્લાના સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ હેલિકોપ્ટર દ્વારા રવાના થશે. બપોરે 3 વાગ્યે વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી, તેઓ લગભગ 5.30 વાગ્યે જમ્મુથી નાગપુર જવા રવાના થશે.
ટનલ અહીં બનાવવામાં આવશે જમ્મુ ડિવિઝનમાં, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (Jammu-Srinagar National Highway) ના ભાગોમાં ચાર મોટી ટનલ બનાવવામાં આવશે. જ્યાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણા દિવસોથી બંધ થઈ જતો હોય છે. ઉધમપુર અને રામબન જિલ્લાની વચ્ચે, આ સ્થાનો પર રસ્તાની હાલત માત્ર ટ્રાફિકને જ અસર કરતી નથી, પરંતુ માર્ગ અકસ્માતોનું કારણ પણ બને છે.
1912 કરોડના ખર્ચે મરોગથી ડિગડોલ, રૂ. 1401 કરોડના ખર્ચે ડિગડોલથી ખૂની નાલા, રામબન અને બનિહાલ વચ્ચેની મોમ્પાસી-શેરબીબી ટનલ રૂ. 614 કરોડના ખર્ચે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનાવવામાં આવનાર ટનલમાં રૂ. 442 કરોડનો ખર્ચ થશે. રામબન ટનલના કારણે જમ્મુથી કાશ્મીરની મુસાફરીમાં લગભગ દોઢ કલાકનો સમય બચશે. જમ્મુથી કાશ્મીર જવા માટે હાલ લગભગ સાત કલાકનો સમય લાગે છે. આ સાથે ડોડા જિલ્લામાં ખિલની ટનલ, અખનૂર-પૂંચ રોડ પર કાંડી ટનલ, નૌશહર ટનલ અને ભીમ્બર ટનલ પણ જમ્મુ કાશ્મીરમાં વિકાસની ગતિને વધુ ઝડપથી વધારશે.