Jammu-Kashmir : અનંતનાગમાં મોટું એન્કાઉન્ટર, સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા
Jammu-Kashmir : અનંતનાગના બીજબેહરાના કનિદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના અહેવાલ મળ્યા છે. અનંતનાગના બીજબેહરાના કનિદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાએ એન્કાઉન્ટર કર્યું જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ આતંકવાદીઓની ઓળખ હજી થઈ નથી.
આતંકવાદીઓએ સરેન્ડર ન કર્યું પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે ઓપરેશન શરૂ થયા બાદ આ વિસ્તારના આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારની વચ્ચે સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને કડક કાર્યવાહી કરીને આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. જો કે આતંકવાદીઓએ સરેન્ડર ન કર્યું અને આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.
મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું ગુરુવારે સવારે ફરી એકવાર સુરક્ષા દળોએ અહીં એક મોટી કાર્યવાહી શરૂ કરી અને બે છુપાયેલા આતંકીઓને ઠાર માર્યા. જોકે તેઓની ઓળખ હજી થઈ નથી. ઓપરેશન બાદ સુરક્ષા દળોએ અહીં મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.