AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે શા માટે જાય છે? જાણો શું છે તેની પાછળની પૌરાણિક કથા

Jagannath Rath Yatra 2025: હિંદુ ધર્મમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રામાં હજારો ભાવિ-ભક્તો જોડાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમિયાન તેમની માસીના ઘરે જઈને વિશ્રામ કરે છે. ત્યારે આવો જાણીએ તેના પાછળની કથા અને માન્યતા.

Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે શા માટે જાય છે? જાણો શું છે તેની પાછળની પૌરાણિક કથા
Follow Us:
| Updated on: Jun 10, 2025 | 6:32 PM

ભારતમાં ઓરિસ્સામાં આવેલા પુરી મંદિરની જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. દેશમાં સૌથી મોટી અને સૌથી પહેલા નંબરની રથયાત્રા જગન્નાથ પુરીમાં યોજાય છે. જેમા મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. આ રથયાત્રા દરમિયાન

ભારતમાં, પુરી મંદિરની જગન્નાથ રથયાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ભ્રમણ પર જાય છે અને નજીકના ગુંડિચા મંદિરમાં થોડા દિવસો માટે આરામ કરે છે. ગુંડિચા મંદિરમાં બેઠેલી ગુંડિચા દેવીને ભગવાન જગન્નાથના માસી તરીકે પૂજાય છે. રથયાત્રા પછી, ભગવાન જગન્નાથ થોડા દિવસો માટે તેમના માસીના ઘરે વિશ્રામ કરવા માટે રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે શા માટે જાય છે? ચાલો જાણીએ તેનુ કારણ

જગન્નાથજીની માસીનું નામ શું છે?

ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથજીની માસી ગુંડિચા દેવીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન, અહીં સાત દિવસ રોકાઈ છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા ગુંડિચા મંદિરમાં જાય છે, જ્યાં તેમના માસી તેમને પીઠાડો, રસગુલ્લા વગેરે વાનગીઓ ખવડાવીને તેમનું સ્વાગત કરે છે.

2025નો શાહજહાં ! પતિએ તેની પત્ની માટે બનાવી દીધો તાજમહેલ, જુઓ Video
100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર

ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે કેમ જાય છે?

આની પાછળ એક પૌરાણિક કથા છે. આ કથા અનુસાર, એકવાર ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાએ ભગવાન જગન્નાથજીને શહેર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પછી તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે, ભગવાન જગન્નાથ અને બલરામ સુભદ્રાજીને રથ પર બેસાડીને શહેર બતાવવા નીકળ્યા. નગરયાત્રા દરમિયાન, તે ત્રણેય તેમના માસી ગુંડિચાના ઘરે પણ પહોંચ્યા.

ત્યારથી, ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે, ગુંડિચા મંદિરમાં જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ તેમના માસી ગુંડિચા દેવીના ઘરે જાય છે કારણ કે તેઓ માસીને ખૂબ પ્રેમ કરે છે અને આદર આપે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જાય છે અને તેમના દ્વારા આપવામાં આવતી વાનગીઓ અને સેવાનો આનંદ માણે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ સામાન્ય જાણકારી આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)

સૂતી વખતે જો આ 6 લક્ષણો દેખાય તો સમજી જાઓ કે તે કિડનીની ખરાબીના સંકેત છે, તુરંત ડૉક્ટરનો કરો સંપર્ક– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">