જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે એન્કાઉન્ટર દરમિયાન ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. 11 ઓક્ટોબરે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં બે એન્કાઉન્ટર ચાલી રહ્યા છે, જેમાં સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. એક એન્કાઉન્ટર શોપિયાંના તુલરાન વિસ્તારમાં, જ્યારે બીજું એન્કાઉન્ટર શોપિયાંના જ ખોરીપેડા વિસ્તારમાં થયું હતું.
આ પહેલા સોમવારે પૂંછ જિલ્લામાં ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (JCO) સહિત 5 સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે આ દરમિયાન બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. અધિકારીઓએ આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (DKG) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકો શહીદ થયા હતા. નિયંત્રણ રેખા (LOC) પાર કરનારા આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.
Jammu and Kashmir | An encounter and search operation is underway in Dehra Ki Gali (DKG) area, Rajouri adjoining to Poonch sector where one JCO & four soldiers had lost their lives during a counter-terror operation on Monday.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/00p5rjzPgJ
— ANI (@ANI) October 12, 2021
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, પાંચેય સૈનિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –